Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

વૃત્રાસુરનું પૂર્વચરિત્ર - 2


વૃત્રાસુરનું પૂર્વચરિત્ર - 2

દેવર્ષિ નારદ ચિત્રકેતુના ને સૌના મનનું સંપૂર્ણ સમાધાન કરવાની ઇચ્છા રાખતા હોવાથી એમણે એમની સવિશેષ શક્તિના ઉપયોગથી એક અદ્દભુત ચમત્કાર કર્યો. એ ચમત્કાર એમને સારું સહજ હતો. એમણે ચિત્રકેતુના મૃત પુત્રના જીવાત્માને શોકાકુલ સ્વજનોની આગળ પ્રત્યક્ષ બોલાવ્યો. ભાગવતની એ ઘટના આપણને અત્યંત સુસ્પષ્ટ રીતે સૂચવી જાય છે કે પ્રાચીન ભારતમાં મૃતાવાહનવિદ્યાનું પ્રચલન હતું, એ વિદ્યાના ઇચ્છા પ્રમાણે આવશ્યકતાનુસાર સફળ પ્રયોગો થતા, અને દેવર્ષિ નારદ એ વિદ્યામાં પણ પારંગત હતા. ઉપનિષદમાં સનત્કુમાર અને નારદના વાર્તાલાપનો જે નોંધપાત્ર પ્રસંગ આવે છે એમાં નારદજીએ સનત્કુમારને પોતે જેમાં નિષ્ણાત હતા એવી કેટલીય વિદ્યાઓનું વર્ણન કરી બતાવ્યું છે. એટલે અધ્યાત્મવિદ્યા સિવાયની બીજી વિદ્યાઓમાં પણ એમનો અધિકારપૂર્ણ પ્રવેશ હતો જ. આપણે ત્યાં ને પશ્ચિમમાં પણ મૃતવાહનવિદ્યાના સફળ પ્રયોગો થવા માંડ્યા છે. લોકો એમાં રસ પણ લે છે. છતાં પણ એમાં ગળાબૂડ ડૂબીને, એને જ સર્વ કાંઇ સમજીને, ઇશ્વરના સાક્ષાત્કારની મહત્વની સાધનાથી દૂર રહેવાથી જીવનનું શ્રેય નહિ સાધી શકાય ને શાશ્વતી શાંતિ પણ નહિ મેળવી શકાય. જીવનના મૂળભૂત અને આત્યંતિક કાયમી કલ્યાણને માટે ઇશ્વરાભિમુખ થવું જ પડશે.

દેવર્ષિ નારદે પેલા મૃત રાજપુત્રના આત્માને બોલાવીને એની સાથે વાર્તાલાપ કરતાં કહ્યું કે તારાં માતાપિતા ને સગાસંબંધી તારા વિયોગથી વ્યાકુળ થયા છે માટે તું ફરીથી શરીરમાં પ્રવેશ કરીને એમને આનંદ આપ અને રાજ્યસુખનો ઉપભોગ કર. પરંતુ જીવાત્માએ પાછા આવવાની ને શરીરને ધારણ કરવાની ના પાડી. એણે કહ્યું કે મને હવે આ શરીરની અને સ્વજનોની મમતા નથી રહી. જે વસ્તુનો જ્યાં સુધી સંબંધ હોય છે તે વસ્તુની ત્યાં સુધી મમતા રહેતી હોય છે. મેં મારા કર્મોને અનુસરીને અત્યાર સુધી આવાં અસંખ્ય શરીરોને બદલી નાખ્યાં. એ શરીરોમાં મને કોઇ પ્રકારની આસક્તિ નથી થઇ તો આ શરીરમાં આસક્તિ શા માટે થાય ? જીવાત્મા તો અવિનાશી, નિત્ય, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સૌના આશ્રયરૂપ અને સ્વયંપ્રકાશ છે. એમાં જન્મ ને મરણ જેવું કશું જ નથી. એને કોઇ પ્રિય-અપ્રિય, પોતાનું-પારકું નથી.

એવું કહીને એ જીવાત્મા ત્યાંથી જતો રહ્યો. એનાં સ્વજનોને અને રાજા ચિત્રકેતુને એની વાત સાંભળીને અતિશય આશ્ચર્ય થયું. એમને નવી દૃષ્ટિ મળી અને એને લીધે એમનો શોક તથા મોહ દૂર થયો. એના શરીરનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જે સ્ત્રીઓએ રાજકુમારને ઝેર આપીને એનું મૃત્યુ નીપજાવેલું તેમણે તેને માટે પશ્ચાતાપ કર્યો.

ચિત્રકેતુને વિવેક તેમ જ વૈરાગ્યભાવની પ્રાપ્તિ થઇ. એણે દેવર્ષિ નારદનાં ને મહર્ષિ અંગિરાના ચરણોમાં પ્રણામ કર્યા. દેવર્ષિ નારદે એની અસાધારણ શ્રદ્ધાભક્તિથી પ્રસન્ન થઇને એને અલૌકિક વિદ્યાનો ઉપદેશ આપ્યો. બંને મહાપુરુષો એ પછી ત્યાંથી ચાલી નીકળ્યા.

એ વિદ્યાના પ્રભાવથી ચિત્રકેતુને વિદ્યાધરોનું અખંડ આધિપત્ય મળ્યું. થોડાક વખત પછી મનની શુદ્ધિની પણ પ્રાપ્તિ થઇ. અને છેવટે એને ભગવાન શેષની સુખદ સંનિધિનો લાભ મળ્યો. ભગવાન શેષના દર્શનાનંદને પ્રકટ કરવા માટે એણે અતિશય ભાવવિભોર બનીને એમની સ્તુતિ કરી.

શેષ ભગવાન એની આગળથી અદૃશ્ય થયા પછી વિદ્યાધર ચિત્રકેતુ એમને પૂજ્યભાવે પ્રણામ કરીને આકાશમાર્ગે વિવિધ દિશાપ્રદિશામાં સ્વૈરવિહાર કરવા લાગ્યો.

એકવાર ચિત્રકેતુ ભગવાનના આપેલા અલૌકિક વિમાનમાં વિરાજીને વિહાર કરતો હતો. એ વખતે એણે એકાએક એક અદૃષ્ટપૂર્વ દૃશ્ય જોયું. મુનિઓની સભામાં સિદ્ધો અને ચારણોની વચ્ચે ભગવાન શંકર પાર્વતીને ગળે હાથ વીંટીને એને આલિંગન આપતાં બેઠેલા. એ દૃશ્ય જોઇને એને કાંઇનું કાંઇ થઇ ગયું. એ વિમાનની સાથે જ એમની પાસે પહોંચી ગયો ને પાર્વતીના સાંભળતાં જ હસવા ને મનમાં આવે તેમ બોલવા લાગ્યો. એણે કહ્યું કે આ સમસ્ત સંસારના ગુરુ અને ધર્માચાર્યની દશા તો જુઓ. એ સંસારમાં સર્વશ્રેષ્ઠ મનાતા ને પરમપૂજ્ય તરીકે પૂજાતા હોવા છતાં ભરી સભામાં સ્ત્રીને સાધારણ પુરુષની પેઠે નિર્લજ્જતાપૂર્વક આલિંગન આપીને બેસી રહ્યા છે. પામર વિષયી પુરુષો પણ મોટે ભાગે એકાંતમાં જ આવો વ્યવહાર કરતા હોય છે એટલે આમને તો એવા પુરુષોની સાથે પણ નથી સરખાવી શકાય તેમ.

ભગવાન શંકર તો એના એ અવિનયયુક્ત અપમાનજનક શબ્દો સાંભળીને શાંતિથી બેસી રહ્યા, પરંતુ પાર્વતીથી એવી રીતે શાંતિપૂર્વક ના બેસી રહેવાયું. એમણે ચિત્રકેતુની આસુરી વૃત્તિ જોઇને સત્વર શાપ આપ્યો કે તને પાપમય અસુરોની યોનિની પ્રાપ્તિ થાવ. એજ દંડ તારે માટે ઉચિત છે. એવા દંડને લીધે તું ફરીવાર કોઇ બીજા મહાપુરુષનું અપમાન કરવા નહિ પ્રેરાય.

પાર્વતીના શાપને સાંભળીને ચિત્રકેતુ વિમાનમાંથી ઉતરીને એમને પ્રણિપાત કરીને કહેવા લાગ્યો કે બે હાથ જોડીને તમારા શાપમાંથી મુક્ત થવાની કે એ શાપને હળવો કરવાની ઇચ્છા હું નથી રાખતો. ના, સ્વપ્ને પણ નહિ. હું તો મારી જે વાત તમને અનુચિત લાગી હોય તેને માટે મને સાચા દિલથી ક્ષમા કરો એટલી જ પ્રાર્થના કરું છું.

ચિત્રકેતુ એટલું બોલીને વિમાનમાં બેસીને વિદાય થયો. એને શાપ મળવા છતાં એણે સાચવેલી શાંતિ અજબ હતી. શંકર ભગવાને એને માટે એની પ્રશંસા કરી.

આદર્શ ભગવદ્દભક્તનું એ એક મોટું લક્ષણ છે. જીવનમાં સુખ આવે કે દુઃખ, સંપત્તિની વચ્ચે શ્વાસ લેવો પડે કે વિપત્તિની વચમાં, જય મળે કે પરાજય, અનુકૂળતામાં વસવું પડે કે પ્રતિકૂળતામાં, અને આશીર્વાદ મળે કે અભિશાપ, તો પણ સર્વે સ્થળે ને કાળે એ સ્વસ્થ ને શાંત રહેતો હોય છે. પ્રત્યેક પરિસ્થિતિને એ પરમાત્માના પ્રસાદરૂપે સ્વીકારીને એમાં આનંદાનુભવ કરતો હોય છે.

ચિત્રકેતુ ધારત તો પાર્વતીને સામો શાપ આપી શક્ત પરંતુ એણે એવું કરવાને બદલે શાંતિ રાખીને એની ઉદાત્તતાને બતાવી આપી. જો કે ભરી સભામાં એણે શંકર ભગવાનને માટે જે શબ્દો કહ્યા એ એની ઉદાત્તતાના પરિચાયક ન હતા, તો પણ પાછળથી એણે એમને માટે ક્ષમાયાચના કરી એટલું સારું હતું. જે ભૂલ નથી કરતો તે તો મહાન છે જ પરંતુ ભૂલ કરીને જે ભૂલને પકડી પાડે છે, સુધારે છે, ને ભૂલનું પુનરાવર્તન નથી કરતો તે પણ ઓછો મહાન નથી જ.

ચિત્રકેતુ જ એવી રીતે એના બીજા જન્મમાં વૃત્રાસુર થયો. દૈત્ય યોનિમાં જન્મ થવા છતાં પણ એને ઇશ્વરવિષયક જ્ઞાન તથા ભક્તિ વારસામાં મળ્યાં. એને લીધે જ અંતકાળ વખતે એ પોતાના મનને ઇશ્વરમાં જોડી શક્યો.

સમાજમાં વૃત્રાસુરની કમી નથી. દીનતા, કંગાલિયત, અનર્થ અને આતંક બધે જ ફેલાયલાં છે. એનો અંત આણીને સમાજને સ્વસ્થ, સમૃદ્ધ, સમુન્નત, સુખી અને શાંત કરવા માટે સૌએ દધીચિ બનવાની અથવા સમર્પણ કરવાની આવશ્યકતા છે. આવશ્યકતાનુસાર સર્વસમર્પણ કરવા પણ તૈયાર રહેવાનું છે. સમાજને પોતાની સાર્વત્રિક સુખાકારીને માટે એવા દધીચિઓની આવશ્યકતા છે જે એને માટે જરૂર પડ્યે પોતાના પ્રિયમાં પ્રિય પદાર્થનો ત્યાગ કરતાં પણ ના અચકાય.

વૃત્રાસુરનું પૂર્વચરિત્ર - 1


વૃત્રાસુરનું પૂર્વચરિત્ર - 1

સ્વનામધન્ય સંતશિરોમણિ શુકદેવજીના શ્રીમુખથી વૃત્રાસુરના વ્યક્તિત્વનું વર્ણન સાંભળ્યા પછી પરીક્ષિતને સ્વભાવિક રીતે જ થોડી શંકા થઇ. એને શંકાને બદલે જિજ્ઞાસાનું નામ આપીએ તો તે વધારે યોગ્ય લેખાશે. એવી જિજ્ઞાસા આટલાં વરસો પછી બીજાને પણ થવાનો સંભવ છે. પરીક્ષિતે એનો પડઘો પાડતાં શુકદેવજીને પૂછયું કે વૃત્રાસુર પાપી તથા લોકોને ત્રાસ આપનારો હોવાં છતાં યુદ્ધભૂમિમાં પોતાના મનને ભગવાનના સ્વરૂપમાં લગાવી શક્યો તેનું કારણ ? એવી રીતે મનને ઇશ્વરપરાયણ કરવાનું કામ મોટા મોટા મુનિઓને માટે પણ મુશ્કેલ છે.
પરીક્ષિતની જિજ્ઞાસાના જવાબમાં શુકદેવે એમને વૃત્રાસુરના પૂર્વજન્મની કથા કહી. એ કથા એમણે મહર્ષિ વ્યાસ, મહર્ષિ દેવલ તથા દેવર્ષિ નારદ પાસેથી સાંભળેલી.
સ્વનામધન્ય શુકદેવે સંભળાવેલી વૃત્રાસુરની પૂર્વજન્મની કથાનો સંક્ષિપ્ત સારભાગ આ રહ્યો: પ્રાચીનકાળમાં શૂરસેન દેશમાં ચક્રવર્તી સમ્રાટ મહારાજા ચિત્રકેતુ રાજ્ય કરતો. એને અનેક સ્ત્રીઓ હોવાં છતાં કોઇ સંતાન નહોતું. એથી એ થોડોક ઉદાસ રહેતો.
એક દિવસ શાપ તેમ જ વરદાન દેવામાં સમર્થ અંગિરા ઋષિ વિભિન્ન પ્રદેશોમાં વિચરણ કરતા એના રાજપ્રાસાદમાં પહોંચી ગયા. ચિત્રકેતુએ એમનું સમુચિત સન્માનપૂર્વક સ્વાગત કર્યું. મહર્ષિ અંગિરાએ એના મુખમંડળ પરની ચિંતા તથા વેદનાનું કારણ પૂછયું તો એણે કોઇ પણ પ્રકારના સંકોચ સિવાય એ કારણ કહી બતાવ્યું, અને એમના માર્ગદર્શનની માગણી કરી. મહર્ષિએ ત્વષ્ટા દેવતાને યોગ્ય ચરુનું નિર્માણ કરીને અર્પણ કરી એમનું પૂજન કર્યું અને યજ્ઞનો પ્રસાદ ચિત્રકેતુની સૌથી મોટી સદ્દગુણી સ્ત્રી મહારાણી કૃતદ્યુતિને અર્પણ કર્યો. ચિત્રકેતુને એમણે જણાવ્યું કે આ સ્ત્રીથી તને જે પુત્ર થશે તે હર્ષ તથા શોક બંને પ્રદાન કરશે.
એ પછી મહર્ષિ અંગિરા ત્યાંથી વિદાય થયા.
સુયોગ્ય સમય પર મહારાણી કૃતદ્યુતિએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. સમ્રાટ ચિત્રકેતુને  અને સમસ્ત પ્રજાને એથી આનંદ થયો. તપઃપૂત મહાપુરુષના આશીર્વાદ કાંઇ નકામા જાય છે ? કદાપિ નહિ.
ચિત્રકેતુ કૃતદ્યુતિ પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખવા લાગ્યો ને બીજી બધી જ સ્ત્રીઓ પ્રત્યે ઉદાસીનતા. એને લીધે બીજી સ્ત્રીઓ કૃતદ્યુતિને દ્વેષની નજરે જોવા લાગી. એમણે કૃતદ્યુતિના પુત્રને ઝેર આપ્યું. એના પ્રભાવથી એનું મરણ થયું.
એના મરણના સમાચાર ચિત્રકેતુ તથા કૃતદ્યુતિ બંનેને માટે ભયંકર શોકજનક અને આઘાતકારક થઇ પડ્યા. સુખને ઠેકાણે દુઃખના દાવાનળ સળગી રહ્યા.
મમતા અથવા આસક્તિ જ માણસને દુઃખી કરે છે, બેચેન બનાવે છે, ને રડાવે છે. જો દુન્યવી વિષયોમાં કે પદાર્થોમાં  મમત્વ, રાગ કે આસક્તિ ના હોય તો જીવને માટે દુઃખી થવાનું, બેચેન મનવાનું કે રડવાનું કોઇ કારણ જ નથી રહેતું. મમત્વ, રાગ અથવા આસક્તિના બંધનને તોડવા માટે આત્મજ્ઞાનનો તેમ જ ભગવદ્દભક્તિનો આધાર લેવાની જરૂર છે. એની દ્વારા ઇશ્વરના અસાધારણ અનુગ્રહનો લાભ મળવાથી એ બંધન કાયમને કાજે કપાઇ જાય છે ને જીવન સદાને સારુ શાંત, પ્રસન્ન, મુક્ત તથા ધન્ય બને છે. બંધનને તોડીને જીવનને કૃતાર્થ કરવાની એ પ્રક્રિયામાં સંતસમાગમ પણ અમોઘ આશીર્વાદરૂપ ઠરે છે. એ સંતસમાગમ જેને સાંપડી જાય છે એના સૌભાગ્યનો સૂર્યોદય સોળે કળાએ ખીલી ઊઠે છે. એ પણ કોઇકને જ અને ઇશ્વરની કૃપાથી જ સાંપડી શકે છે. મહારાજા ચિત્રકેતુને સંતસમાગમનો એ દેવદુર્લભ લાભ મળવાનો હોવાથી એની શોકગ્રસ્ત દશાને દેખીને એની પાસે એક નહિ પણ બે સંત આવી પહોંચ્યા - દેવર્ષિ નારદ અને મહર્ષિ અંગિરા.
સંતપુરુષોનાં જીવન સૌનું અકારણ હિત કરવા માટે જ હોય છે. સૌનું મન, વચન, કર્મથી પરમકલ્યાણ કરતા એ જગતમાં જીવતા હોય છે. એમનું શરીરધારણ બીજાને પ્રેરણા તથા પ્રકાશ પૂરો પાડવા ને શાંતિ આપવા માટે હોય છે. એમના વિના જગત જીવવા જેવું ભાગ્યે જ રહ્યું હોત. જગતની સમુન્નતિ, સુખાકારી ને શાંતિમાં એમનો ફાળો ઘણો મોટો છે.
એક જ સંત શાંતિ આપી શકે ને જીવનનું કલ્યાણ કરી શકે તો આ તો બે સંત ભેગા થયા, અને એ બંને એ જમાનાના મહાન, સર્વોત્તમ સંત. પછી શું બાકી રહે ? એમણે ચિત્રકેતુને જુદી જુદી રીતે આશ્વાસન આપ્યું. પાણીના પ્રબળ પ્રવાહમાં જેવી રીતે રેતીના કણ પરસ્પર ભેગા મળે છે ને જુદા પડે છે તેવી રીતે જગતમાં જુદા જુદા જીવો મળે છે ને છૂટા પડે છે. એમનો હર્ષ-શોક કેવો ? એમની મમતા કરીને દુઃખી શા માટે થવું જોઇએ ? મમતા એક ઇશ્વરની જ રાખવી, બીજા કોઇની નહિ. ઇશ્વરની મમતા તારક બને છે ને બીજી મમતાઓ મારક.
બે દિવસ પહેલાં મારી પાસે અહીં મસૂરીમાં એક ધનવાન પતિપત્ની આવ્યાં. એ લુધિયાણાનાં નિવાસી હતાં. પુરુષને મેં કુશળસમાચાર પૂછ્યા તો એ તરત જ મોટેથી રડવા માંડ્યા. એમની પત્ની પણ રડવા લાગી. સાથે આવેલી એમની એક સંબંધી સન્નારીએ એના રહસ્યનું ઉદ્દઘાટન કરતાં કહ્યું કે એકાદ મહિના પહેલાં એમના યુવાન પુત્રનું મૃત્યુ થયું છે માટે એ દુઃખી છે. એમનું દિલ ક્યાંય નથી લાગતું.
‘એમને બીજા છોકરા છે ? ’ મેં પૂછયું.
‘બીજા બે છોકરા છે. એક મોટો છે ને બીજો થોડોક નાનો. બંને પરણેલ છે.’
‘તો પછી એ દુઃખી શા માટે થાય છે ? એમણે તો સુખ માનવું જોઇએ. જે ગયો છે એ છોકરો તો પાછો આવવાનો નથી. એ પોતે પણ ક્યાં અમર છે ? એમને પણ એક દિવસ જવાનું છે. કાળ કોઇને પણ પોતાના પાશમાંથી મુક્તિ નથી આપતો. એ સૌની ઘડીઓ ગણે છે.’
‘પરંતુ એને પરણ્યે ત્રણ મહિના જ થયેલા.’ પેલા પુરુષે કહ્યું.
‘એ બરાબર છે. એ વાતનું દુઃખ થતું હોય તો તો એની યુવાન સ્ત્રીને માટે દુઃખ લગાડો. તમે તો એને માટે એક અક્ષર પણ નથી ઉચ્ચારતા અને તિલમાત્ર દુઃખ નથી પ્રકટ કરતા. એની અવસ્થા કેટલી બધી કરુણ હશે તેનો વિચાર તો કરી જુઓ.’
એ સદ્દગૃહસ્થ થોડાક સમયને સારુ શાંત રહ્યા ને પછી બોલ્યા :
‘તો પછી મારું દુઃખ દૂર કેવી રીતે થાય ?’
‘જે તમારાથી વધારે દુઃખી હોય તેવા લોકોનો વિચાર કરવાથી, આત્મવિચારનો આધાર લેવાથી, પ્રાર્થનાથી અને ઇશ્વરના નામસ્મરણથી. સંસારનું સ્વરૂપ જ એવું અનિત્ય ને પરિવર્તનશીલ છે. એને વિવેકનો આશ્રય લઇને સારી પેઠે સમજી લો એટલે તમારું દુઃખ હળવું થશે. બીજો કોઇ જ રસ્તો નથી. તમને એ છોકરો એટલો બધો પ્રિય છે તો તમારા મરવાથી એ જીવતો થઇ શકતો હોય તો એને બદલે તમે મૃત્યુના મહેમાન થવા તૈયાર છો ?’
એ સદ્દગૃહસ્થ વાતે એવી રીતે વળાંક લીધો એથી જરાક વિચારમાં પડ્યા. એવા પ્રશ્ન કે પ્રસ્તાવની એમને કલ્પના જ નહોતી.
‘કેમ કશું બોલતા નથી ?’ મેં પૂછ્યું; ‘તમારા મરવાથી તમારા પુત્રને નવજીવન મળતું હોય તો તમે મરવા તૈયાર છો ? તમે તો હવે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છો.’
‘વૃદ્ધાવસ્થા પર પહોંચ્યો હોઉં તેથી શું થયું ? જીવન કોને પ્રિય નથી ? એનો પોતાની મેળે ત્યાગ કરવા કોઇ તૈયાર થાય છે ખરું ? મને તો લાગે છે કે મારા એ છોકરાની સ્ત્રી પણ એવી રીતે એના બદલામાં મરવા તૈયાર નહિ થાય. એણે સ્નેહ લગ્ન કરેલું તો પણ.’
‘એની વાત જવા દો. પહેલાં તમારી વાત કરી લો. તમે જવા માટે તૈયાર છો ?’
‘કદાપિ નહિ.’
‘તો પછી તમે તૈયાર છો ?’ મેં એમની પત્નીને પૂછ્યું; ‘પુત્રની લાગણી તો તમને પણ થતી હશે.’
‘લાગણી તો માતા છું એટલે શા માટે ના થાય ?’ એ સ્પષ્ટીકરણ કરતાં કહેવા માંડ્યું; ‘પરંતુ એ લાગણી એવી નથી કે હું એને માટે મરવા તૈયાર થઉં. એનું તો મરણ થયું પરંતુ મારે એની પાછળ શા માટે મરવું પડે ? મને મારા પતિને માટે પણ લાગણી છે. એમની સેવા કરવા માટે પણ મારે જીવતા રહેવું જોઇએ.’
‘તો પછી શું થાય ?’
‘મને એક ઉપાય યાદ આવે છે તમને હરકત ના હોય તો કહી બતાવું.’
‘કહી બતાવો.’
‘તમારા શરીરત્યાગથી એ છોકરાને નવજીવન મળતું હોય તો એને એવું જીવન જરૂર આપો.’
‘મારા શરીરત્યાગથી ?’
‘હા. અમે તમારા જીવનભર આભારી રહીશું. સંતો અહેતુકી કૃપાથી ભરેલા ને હંમેશા બીજાને માટે જીવતા ને મરતા હોય છે. તમે આટલો પરોપકાર કરશો તો તેમાં કશું અનુચિત નહિ લેખાય.’
એમની સ્ત્રીએ પણ એમાં સૂર પૂરાવ્યો. મને એમની અવનવીન કલ્પનાશક્તિ અને હિંમત જોઇને આશ્ચર્ય થયું. એમનો પ્રસ્તાવ ખૂબ જ વિનોદપૂર્ણ હતો. મેં એમને કહ્યું :
‘છોકરો તમારો છે; તમને એના પર પ્રેમ, રાગ કે મમતા છે; તો પણ તમે એને સારું શરીર ત્યાગ કરવા તૈયાર નથી થતાં તો મેં તો એને જોયો પણ નથી, મને એને માટે રાગ કે મમતા પણ નથી, તો હું કેવી રીતે તૈયાર થઇ શકું ? જે શરીર મળ્યું છે એનો સમ્યક્ સદુપયોગ કરીને મારે તો પ્રભુપ્રીત્યર્થે કર્મો કરવાનાં છે. એ શરીરનો ઉત્સર્ગ હું ઇશ્વર વિના બીજા કોઇને ય માટે ના કરી શકું.’
‘પરંતુ અમારો છોકરો ઇશ્વરરૂપ છે. ’
‘ભલે હોય.’
‘તમારી વાત સાંભળીને અમને તો નવી આશા પેદા થયેલી. એ આશા નિરાશામાં પલટાઇ ગઇ.’
‘તો પછી ? ’
‘તો પછી શું કરવું જોઇએ તે મેં કહેલું જ છે. એ જ માર્ગ છે. સંસારના પદાર્થોની પરિવર્તનશીલતાનો વિચાર કરી, ઇશ્વરના વિધાનમાં સંતુષ્ટ રહી, એને માથે ચઢાવીને અહંતા, મમતા અને આસક્તિની ગ્રંથિને હળવી કરવાનો તથા તોડી નાખવાનો પ્રયત્ન કરતા રહીને ઇશ્વરને માટે જીવન જીવો એ જ વિકલ્પ છે. એ સિવાય જીવન દુઃખમય બની જશે અને અંતર અશાંતિનો અનુભવ કર્યા કરશે.’
‘સાચેસાચ ?’
‘હા. જે આપણું હોય જ નહિ એની મમતા અથવા આસક્તિ કરીએ તો બીજું શું પરિણામ આવી શકે ? દુનિયાનાં મોટા ભાગનાં દુઃખોનું કારણ એ જ છે - મમતા અથવા આસક્તિ. એને તિલાંજલિ આપે છે તે જ સુખી થાય છે ને શાંતિ મેળવે છે.’
મારા ઉદ્દગારો એમને ગળે ઉતર્યા કે નહિ તે તો કોણ જાણે પરંતુ થોડોક વખત પછી એ મારી રજા લઇને વિદાય થયા.
*
રાજા ચિત્રકેતુની ઉપર ઇશ્વરની કૃપા થવાથી એને સંતપુરુષોનો સમાગમ થયો. સંતો સિવાય સંતપ્ત અંતરને શાંતિ કોણ આપી શકે ? એ શાંતિની સુધાવર્ષા કરે તો પણ જીવનું સૌભાગ્ય હોય તો જ તેને ઝીલીને ધન્ય બની શકે. દેવર્ષિ નારદ તથા મહર્ષિ અંગિરાનો સદુપદેશ સાંભળીને ચિત્રકેતુને પ્રકાશ મળ્યો. એનો શોક થોડોક હળવો બન્યો.

વૃત્રાસુરની પ્રાર્થના


વૃત્રાસુરની પ્રાર્થના

માણસનો અંતકાળ એકદમ સંનિકટ હોય અને એને એનું એક અથવા બીજી રીતે જ્ઞાન થયું હોય ત્યારે એણે શું કરવું જોઇએ ? એનું મુખ્ય કર્તવ્ય શું હોવું જોઇએ ? ઇશ્વરના સુખમય સ્મરણમનનનું અને ઇશ્વરમાં મન પરોવવાનું. બીજા બધા જ વિષયોમાંથી મનને પાછું વાળીને એણે ઇશ્વરમાં જ જોડી દેવું જોઇએ. વૃત્રાસુર એ વાતને સારી પેઠે સમજતો હતો એટલે એણે ઇશ્વરની પ્રાર્થનાનો આધાર લીધો. એ પ્રાર્થનાનો ભાગવતની અમર પ્રાર્થનાઓમાં સમાવેશ કરી શકાય તેમ છે. ભાગવતની જ નહિ પરંતુ સંસારની સુંદર પ્રાર્થનાઓમાં એની ગણના સહેલાઇથી થઇ શકે તેમ છે. ભાષા, ભાવ, પદલાલિત્ય, માધુર્ય, અર્થગૌરવ તથા સરસતા અને સરળતાની દૃષ્ટિએ એનું સ્થાન આગળ પડતું અથવા અજોડ છે. ચાર શ્લોકની એ સુંદર, અદ્દભુત, પ્રેમરસ ભરપુર પ્રાર્થનામાં ભક્તિભાવનું સરસ, પરિપૂર્ણ પ્રતિબિંબ પડે છે. એ પ્રાર્થના આ રહી :

अहं हरे तव पादैकमूलदासानुदासो भवितास्मि भूयः ।
मनः स्मरेतासुपतेर्गुणांस्तेगृणीत वाक् कर्म करोतु कायः ॥
न नाकपृष्ठं न च पारमेष्ठयं न सार्वभौमं न रसाधिपत्यम् ।
न योगसुद्धिरपु नर्भव वा समग्जस त्वा विरहय्य कांक्षे ॥
अजातपक्षा इव मातरं खगा स्तन्यं यथा वत्सराः क्षुधार्ताः ।
प्रियं प्रियेव व्युषितं विषण्णा मनोङरविन्दाक्ष दिदृक्षते त्वाम् ।
ममोत्तमश्लोकजनेषु सरव्यं संसारचक्रे भ्रमतः स्वकर्मभिः ।
त्वन्माययाङङत्मात्मजदारगेहेष्वासक्तचित्तस्य न नाथ भूयात् ॥
(સ્કંધ  ૬ અધ્યાય ૧૧ શ્લોક ર૪થી ર૭)

‘હે પ્રભુ ! તમારા ચરણકમળનો આશ્રય લેનારા એકનિષ્ઠ અનન્ય ભાવભક્તિવાળા ભક્તોના દાસ બનવાનું અને એમની સેવા કરવાનું સદ્દભાગ્ય મને મારા બીજા જન્મમાં સાંપડે એવી કૃપા કરો. મારું મન તમારા મંગલમય મધુર ગુણોનું સ્મરણ કરે, મારી વાણી એમનું સંકીર્તન કરે, ને હે પ્રાણાધાર ! મારું શરીર સદા તમારી સેવામાં જ સંલગ્ન રહે એવો અમૂલખ આશીર્વાદ આપી દો.’

‘હે સર્વસૌભાગ્ય ભંડાર પ્રભુ ! તમને છોડીને હું સ્વર્ગ, બ્રહ્મપદ, અખિલ બ્રહ્માંડનું સામ્રાજ્ય, રસાતલનું એકછત્ર રાજ્ય, યોગની અણિમાદિ સિદ્ધિ અને મોક્ષ પણ નથી માગતો. ’

‘પક્ષીઓનાં પાંખ ફુટ્યા વિનાનાં બચ્ચાં વનમાં ગયેલી પોતાની માતાની રાહ જુએ છે. એમના પ્રાણમાં જેવો પ્રેમ હોય છે; માતાનું દૂધ પીવા માટે ક્ષુધાર્ત વાછરડાંના અંતરમાં જેવી આતુરતા હોય છે; અને વિયોગિની પ્રેમાળ પત્ની પોતાના પરદેશ ગયેલા પ્રીતમને મળવા માટે વ્યાકુળ હોય છે; એવી જ, અરે એથી યે વધારે વ્યાકુળતા, આતુરતા તથા પ્રીતિને લઇને હે કમળનયન ! મારું મન તમારા દેવદુર્લભ દર્શન માટે તૈયાર રહે એવું ઇચ્છું છું.’

‘પ્રભુ ! મારી આરાધના એવી અસાધારણ નથી કે મને મુક્તિ મળી શકે. હું મુક્તિની ઇચ્છા પણ નથી રાખતો. મારે જન્મ ભલે લેવો પડે. પરંતુ એ જન્મ દરમિયાન ભગવાનના-તમારા-પ્રેમી પવિત્ર ભક્તજનોનો કે સંતોનો પ્રેમ મને પ્રાપ્ત થાય, અને આ સંસારચક્રમાં વિહાર કરતાં તમારી અઘટિત  ઘટનાપટીયસી મહામહિમામયી માયાના પ્રભાવથી જુદા જુદા જીવો દેહ, ગેહ, સ્ત્રી, પુત્ર, પરિવારાદિમાં જે ઘોર આસક્તિ કરે છે એ આસક્તિ મને કદાપિ ના થાય એવું માગી લઉં છું. એ આસક્તિને લીધે જીવ તમને ભૂલી જાય છે ને દુઃખી, બદ્ધ અને અશાંત થાય છે. એ આસક્તિનો મારામાં લવલેશ પણ ના હો.’

આત્મિક વિકાસના સાધકોને માટે આ પ્રાર્થના પરમકલ્યાણકારક છે. એ કોઇ એકાંતવાસી, સર્વસંબંધ પરિત્યાગી, સરિતાતટ કે ગિરિગહવર નિવાસી ભક્તના મુખમાંથી નથી નીકળી પરંતુ યુદ્ધના કોલાહલયુક્ત વિષમ વાતાવરણની વચ્ચે વસીને પણ મનને સ્વસ્થ ને પરમાત્મપરાયણ રાખવાનો પ્રયત્ન કરનારા એક પ્રવૃત્તિરત ભક્તના અંતઃકરણમાંથી પ્રાદુર્ભાવ પામી છે. એ દૃષ્ટિએ એની મહત્તા સવિશેષ છે. એ પ્રવૃત્તિરત પુરુષોને પણ પ્રેરણા પુરી પાડે છે ને પ્રવૃત્તિમાં નિવૃત્ત રહીને ઇશ્વરાનુસંધાન સાધવાની કળા શીખવે છે. ભાગવતમાં વર્ણવાયલા ભક્તોમાં વૃત્રાસુરનું વ્યક્તિત્વ એ એક પ્રખર પ્રવૃત્તિપરાયણ પાત્ર હોવાથી જુદું જ તરી આવે છે. માણસ બાહ્ય દૃષ્ટિએ ગમે તેવું કર્મ કરતો હોય તો પણ એનો અંતરાત્મા કેટલો બધો ઇશ્વરપરાયણ ને ઊંચો રહી શકે છે એનું આદર્શ ઉદાહરણ એના પરથી મળી રહે છે.

પોતાની પ્રાર્થનાને પૂરી કરીને વૃત્રાસુર યુદ્ધ કરવા પ્રવૃત્ત થયો. એણે ઇન્દ્રની ઉપર ભયંકર સુતીક્ષ્ણ ત્રિશૂળ ફેંક્યું.
પરંતુ ઇન્દ્રે લેશ પણ વિચલિત થયા વિના એ ત્રિશૂળને તથા વૃત્રાસુરની વિશાળ ભુજાને વજ્રની મદદથી કાપી નાખીને સંતોષ માન્યો.
તો પણ વૃત્રાસુર નાસીપાસ થવાને બદલે ક્રોધે ભરાઇને ફરી લડવા લાગ્યો. એણે પરિધના પ્રહારથી ઇન્દ્રના વજ્રને નીચે પાડી નાખ્યું.

એ પછી એ ઇન્દ્રને ઐરાવત હાથી સાથે એની માયાથી ગળી ગયો. એ જોઇને લાગતાવળગતા સૌ દુઃખી થયા. પરંતુ ઇન્દ્ર યોગમાયાથી સંપન્ન તથા નારાયણ કવચમાં નિષ્ણાત હોવાથી એના પેટમાં પહોંચીને પણ મર્યો નહિ. એણે પોતાના વજ્રથી એના પેટને ચીરી નાખ્યું ને બહાર આવીને એના મસ્તકને ધડથી અલગ કર્યું. એ વખતે એના શરીરમાંથી બહાર નીકળેલી આત્મજ્યોતિ ભગવાનના સુધામય સ્વરૂપમાં ભળી ગઇ. વૃત્રાસુરના જીવન પર પડદો પડી ગયો.

દધિચી ઋષિની હિતભાવના


દધિચી ઋષિની હિતભાવના

ભારતવર્ષના આધ્યાત્મિક ઇતિહાસમાં અમર થવા કાજે સરજાયલાં જે જ્વાજ્વલ્યમાન, પરમ જ્વાજ્વલ્યમાન નક્ષત્રો છે તેમાં મહર્ષિ દધીચિ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. એ સ્થાન એમની મુક્તિ, પૂર્ણતા, પરમાત્માના સાક્ષાત્કારની સાધના કે સિદ્ધિની વ્યક્તિગત પ્રાપ્તિને માટે નથી મળ્યું પરંતુ એમણે સેવેલી બીજાના હિતની ભાવના તથા એ ભાવનાને અનુસરીને એમણે આપેલા અસાધારણ આત્મબલિદાનને લીધે પ્રાપ્ત થયેલું છે. ભારતીય સંસ્કૃતિ કેવળ પોતાને માટે જ જીવવામાં નહોતી માનતી. પરંતુ બીજાના સુખ, ઉત્કર્ષ કે કલ્યાણને માટે જીવવામાં ગૌરવ ગણતી હતી. એ વિધાનનો આદર્શ અથવા પરિપૂર્ણ પડઘો મહર્ષિ દધીચિના જીવનમાં પડેલો જોઇ શકાય છે. સમાજસેવાની સર્વોપયોગી ભાવના ભારતને પશ્ચિમની સંસ્કૃતિ પાસેથી સાંપડી છે એવું સમજનારા ને સમજાવનારા શિક્ષિત કહેવાતા સુધારકવર્ગને માટે મહર્ષિ દધીચિની હિતભાવનાનો પ્રસંગ નૂતન પ્રકાશ પુરો પાડનારો થઇ પડશે. એ પ્રસંગનો પરિચય કરવા જેવો છે.

પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામ થયા કરતા. એવા એક સંગ્રામ દરમિયાન વિશ્વરૂપના મૃત્યુ પછી એના પિતા ત્વષ્ટાએ ઇન્દ્રનો નાશ કરવાના આશયથી પ્રેરાઇને યજ્ઞાનુષ્ઠાન દ્વારા વૃત્રાસુરને ઉત્પન્ન કર્યો. એ વૃત્રાસુર પ્રલય કરવા માટે પ્રવૃત્ત થયેલા કાળ જેવો મહાભયંકર દેખાતો. એને જોઇને એવું લાગતું કે એ ત્રણે લોકોનો નાશ કરી નાખશે. એણે પ્રકટ થતાં વેંત જ સમસ્ત સંસારને ઘેરી લીધો. એટલે જ એનું નામ વૃત્રાસુર પડ્યું. દેવતાઓ એમના સૈનિકો સાથે જુદી જુદી જાતનાં શસ્ત્રો લઇને એની ઉપર તૂટી પડ્યા અને એના પ્રહારો કરવા લાગ્યા તો પણ વૃત્રાસુર વશ ના થઇ શક્યો. એ એમના નાનાં મોટાં સઘળાં શસ્ત્રાસ્ત્રોને ગળી ગયો. એ દેખીને દેવતાઓ આશ્ચર્યચકિત, દુઃખી ને બેચેન બન્યા. એ ચિત્તને એકાગ્ર કરીને પોતાના ને સૌના હૃદયપ્રદેશમાં રમનારા આદિપુરુષ નારાયણને શરણે ગયા.

એમની શરણાગતિ, સ્તુતિ તથા ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન નારાયણે એમને વૃત્રાસુરના સંહારનો ઉપાય બતાવતાં કહ્યું કે મારું શરણ તથા સ્તવન કદાપિ મિથ્યા નથી થતું. એ ફળે જ છે. તમારું સૌનું કલ્યાણ થાવ. હવે તમે લેશ પણ વિલંબ કરવાને બદલે મહર્ષિ દધીચિની પાસે પહોંચી જાવ અને એમના વ્રત, તપ તથા ઉપાસનાથી સુપવિત્ર ને સુદૃઢ થયેલા શરીરની માગણી કરો. એ પરમ બ્રહ્મજ્ઞાની તથા ધર્મના અસાધારણ મમર્જ્ઞ છે. એ તમારા વૈદ્ય અશ્વિનીકુમારની માગણીને માન આપીને શરીરને સમર્પિત કરી દેશે. એમના એ અર્પણ કરેલા અંગમાંથી તમે વિશ્વકર્માની મદદથી એક આયુધ તૈયાર કરાવી લેજો. મારા શુભાશીર્વાદથી સાંપડેલી મારી અસીમ શક્તિથી સંપન્ન થઇને ઇન્દ્ર એ અમોઘ અને સર્વોત્તમ શસ્ત્રથી વૃત્રાસુરના શીશને છેદી નાંખશે. એ બધું નિશ્ચિત જ છે. વૃત્રાસુરના નાશ પછી તમને ફરી પાછી સમૃદ્ધિની, સંપત્તિની ને શાંતિની પ્રાપ્તિ થશે.

ઇશ્વરની શરણાગતિ કદી પણ નિષ્ફળ નથી જતી એ એક અનુભવસિદ્ધ હકીકત છે. પરંતુ એમાં વિશ્વાસ રાખીને માણસ ઇશ્વરનું સાચા દિલથી શરણ લે ત્યારે ને ? ઇશ્વરનું શરણ ના લેવાથી જ જીવન દુઃખરૂપ છે. ઇશ્વરનું શરણ લેવાથી એ સુખરૂપ બની જાય છે.

ભગવાન નારાયણની વાત સાંભળીને દેવતાઓ આનંદ પામ્યા. દધીચિ ઋષિની પાસે પહોંચીને એમણે ભગવાનના આદેશાનુસાર યાચના કરી. એ યાચનાથી ઋષિ આનંદની અભિવ્યક્તિ કરતાં કહેવા માંડ્યા કે જીવન અને એને ધારણ કરનારા શરીર સમાન પ્રિય આ સંસારમાં બીજું કશું જ નથી. એ શરીરને છોડતી વખતે મનુષ્યોને કેટલું બધું કષ્ટ થાય છે તે તમે જાણો છો. એ કષ્ટ અસહ્ય હોય છે. એ કષ્ટને વેઠવા તેમજ પ્રિયમાં પ્રિય શરીરનો પરિત્યાગ કરવા સાક્ષાત ઇશ્વર આવીને માગણી કરે તો પણ કોઇ ભાગ્યે જ તૈયાર થાય. તો પણ તમારા સૌના શ્રેયને માટે મારા પાર્થિવ શરીરનો પરિત્યાગ કરવામાં મને અભૂતપૂર્વ આનંદ થશે. હું સ્વાર્થમાં નહિ પરમાર્થમાં માનું છું. શરીર દ્વારા બીજાનું કલ્યાણ થાય એથી બીજો વધારે સારો સદુપયોગ એનો ભાગ્યે જ હોઇ શકે. મરણધર્મી મનુષ્ય એનો સર્વનાશ થાય તે પહેલાં એની દ્વારા બીજાનું હિતસાધન કરી લે એ જ સારું છે.

દધીચિ જેવા વિરલ-અતિવિરલ મહાપુરુષ જ એવી સુંદર વાણી વદી શકે. વાણી વદવી એ એક વાત છે અને એ પ્રમાણે ચાલવું એ જુદી જ વાત છે. દધિચી વાણીને અનુસરનારા હતા એટલે એ પ્રમાણે તરત જ આસન વાળીને પોતાના પાર્થિવ શરીરનો પરિત્યાગ કર્યો. ધન્ય દધીચિ ! તમારા જેવો ઉત્તમ ત્યાગ, સમાધિ દ્વારા શરીરત્યાગ બીજો કોણ કરી શકે અને એ પણ બીજાના કલ્યાણ માટે ? શરીરને જ પ્રિય માનનારા અને શરીરના લાલનપાલનમાં રત રહેનારા સામાન્ય માનવીનું એમાં ગજું નહિ.

દધિચી ઋષિ પરમાત્મનિષ્ઠ અને જીવનમુક્ત હોવાથી કોઇ પણ પ્રકારના કષ્ટ વગર સહેલાઇથી શરીર છોડી શક્યા. જીવનમુક્ત મહાપુરુષોની અવસ્થા એવી જ અલૌકિક હોય છે. એ દેહાધ્યાસથી તદ્દન મુક્ત હોઇને સ્મિતપૂર્વક શરીરને છોડી શકે છે.

વિશ્વકર્માએ દધીચિ ઋષિના શરીરનાં હાડકાંમાંથી વજ્ર બનાવીને ઇન્દ્રને આપ્યું ત્યારે દેવતાઓની ને ઇન્દ્રની પ્રસન્નતાનો પાર ના રહ્યો. ઇન્દ્ર ઐરાવત હાથી પર સવાર થઇને વૃત્રાસુરનો નાશ કરવા માટે આગળ વધ્યો. વૃત્રાસુર પણ દૈત્ય સેનાપતિઓની વિશાળ સેના સાથે યુદ્ધ કરવા તૈયાર હતો. નર્મદા તટ પર એ ભયંકર સંહારાત્મક યુદ્ધનો આરંભ થયો.

દેવોની સેના અસુરોની સેનાને માટે અજેય હતી. અસુરો એની આગળ ના ફાવી શક્યા. એ ઉત્સાહરહિત બનીને વૃત્રાસુરને યુદ્ધભૂમિમાં છોડીને નાસી ગયા. એ જોઇને વૃત્રાસુર ખૂબ જ ગમગીન બની ગયો ને ક્રોધે ભરાયો. એ દેવતાઓને લલકારવા લાગ્યો. એના ભયંકર સિંહનાદથી લગભગ બધા જ દેવો બેહોશ બની ગયા. એ જોઇને ઇન્દ્રે વૃત્રાસુર પર ગદા ફેંકી. વૃત્રાસુરે એને રમતાં રમતાં પકડી લીધી, અને એ જ ગદાથી ઇન્દ્રના હાથી ઐરાવતના મસ્તક પર પ્રહાર કર્યો. એની ગદાના આઘાતથી ઐરાવત હાથી મસ્તક ફાટી જવાથી અતિશય વ્યાકુળ બની ગયો અને ઇન્દ્રને લઇને અઠ્ઠાવીસ હાથ પાછો હઠી ગયો. ઐરાવતના મૂર્છિત થવાથી ઇન્દ્રના વિષાદનો પાર ના રહ્યો. એ જોઇને યુદ્ધના મર્મજ્ઞ વૃત્રાસુરે એના પર ફરીથી ગદા ના ચલાવી. ત્યાં સુધી ઇન્દ્રે અમૃતમય હાથના સ્પર્શથી ઐરાવતની વેદનાને શાંત કરી, વૃત્રાસુર ઇન્દ્રને હાથમાં વજ્ર સાથે યુદ્ધ કરવા ફરીવાર તૈયાર થયેલો જોઇને સમજી ગયો કે હવે મારાથી નહિ બચી શકાય. એ ભગવાનનો ભક્ત હોવાથી મૃત્યુથી ડરતો નહતો. પોતાના મૃત્યુને તદ્દન સમીપ જોઇને એણે ભગવાનની પ્રેમપૂર્વક પ્રાર્થના કરી.

અજામિલની જીવનકથાનો સાર


અજામિલની જીવનકથાનો સાર

અજામિલની જીવનકથાનો સાર સમજવાની આવશ્યકતા કાંઇ ઓછી નથી. ભાગવતની બધી જ કથા-ઉપકથાઓમાં એક અથવા બીજી જાતનો જીવનોપયોગી સાર ભરેલો છે. એને આપણે હસ્તગત કરવાનો છે. અજામિલનું આરંભનું જીવન મોટા ભાગના માનવોની જીવનચર્યાનો પડઘો પાડે છે. મોટા ભાગના માનવોની દશા પણ એવી જ દુઃખદ નથી ? એ પણ ધર્મ ને નીતિની પ્રસ્થાપિત પરંપરાથી ડગી ને પડી ગયા છે. એમના સંસ્કાર લુપ્ત બન્યા છે. પોતાના દેવદુર્લભ જીવનના મહિમાને સુચારુરૂપે ના સમજવાથી એ એનો જેવો જોઇએ તેવો તથા તેટલો સદુપયોગ નથી કરી શકતા. એ અનેક પ્રકારના વ્યસનોના ને બુરાઇઓના દાસ બન્યા છે. એમનું પરિત્રાણ કેવી રીતે થઇ શકે અને એમને શાશ્વત સુખ પણ શી રીતે મળી શકે ? એમણે સત્સંગનો આશ્રય લેવાની આવશ્યકતા છે. એ દ્વારા એમની સદ્દબુદ્ધિ જાગ્રત થશે અને એમને વધારે સારું, ઉત્તમ અથવા આદર્શ જીવન જીવવાની પ્રેરણા મળશે.

અજા એટલે બકરી. બકરી જેવા વિષયી, દુર્બુદ્ધિ, દેહબુદ્ધિવાળા, આત્મા કે પરમાત્માને ભૂલેલા જીવોને અજામિલ કહી શકાય. એવા જીવો અજામિલની પેઠે બુદ્ધિની વિષયવતી વૃત્તિરૂપી વેશ્યાના સંગમાં પડેલા છે, અને દસ ઇન્દ્રિયોના દસ પુત્રોમાં મમતાવાળા છે. એવા જીવો ઇન્દ્રિયોની મમતાને છોડી, વિષવયતી વૃત્તિને તિલાંજલિ આપીને ઇશ્વરાભિમુખ ના બને ત્યાં સુધી જીવનનું કલ્યાણ કરીને આદર્શ જીવનના આનંદનો આસ્વાદ કેવી રીતે મેળવી શકે ?

ભાગવતના પાંચમાં સ્કંધમાં ભરત ઋષિની જે કથા કહેવામાં આવી ને છઠ્ઠા સ્કંધમાં જે અજામિલની જીવનકથાનું આલેખન કરવામાં આવ્યું એમાં થોડોક મહત્વનો નોંધપાત્ર વિરોધાભાસ છે. એ વિરોધાભાસ પ્રત્યે અંગુલિનિર્દેશ કરીએ તો એ અસ્થાને નહિ લેખાય. ભરતજીનું સમગ્ર જીવન ઘણું સારું હતું, પરંતુ મૃગશાવકમાં આસક્તિ થવાથી અને એ આસક્તિને પરિણામે સાધનામાં પ્રમાદ થવાથી એમનો અંતકાળ બગડ્યો અને એમની સદ્દગતિ ના થઇ. અજામિલનું યુવાવસ્થાથી શરૂ થયેલું વૃદ્ધાવસ્થા સુધીનું સમગ્ર જીવન વિષયગામી બનીને બગડી ગયેલું, પરંતુ એના જીવનનો શેષ સમય અને એનો અંતકાળ સુધરી ગયો એથી એને સદ્દગતિની ને શાંતિની પ્રાપ્તિ થઇ. એ બંને વિરોધાભાસી વ્યક્તિત્વનાં રેખાચિત્રોમાંથી જરૂરી સારને ગ્રહણ કરવાનો છે.

અજામિલની એ રસમય જીવનકથાની ફળશ્રુતિ સંભળાવતાં સ્વનામધન્ય શુકદેવે પરીક્ષિતને જે કહ્યું છે તે પણ જાણવા જેવું છે. એમણે કહ્યું છે કે અજામિલના જીવનનો ઇતિહાસ રહસ્યમય અને પાપનાશક છે. એનું શ્રદ્ધાભક્તિપૂર્વક શ્રવણ, મનન ને સંકીર્તન કરનારને કદી નરકમાં નથી જવું પડતું. યમના દૂતો એના તરફ જોઇ પણ નથી શકતા. એ ફળશ્રુતિ સાચી છે. એના અનુસંધાનમાં આપણે કહીશું કે આ કથામાંથી પ્રેરણા મેળવીને માણસ કુકર્મમાંથી મુક્તિ મેળવે, સત્કર્મપરાયણ બને, ઇશ્વરની શ્રદ્ધાભક્તિથી સંપન્ન થાય. અને ઇશ્વરના સાક્ષાત્કારથી જીવનને ઉજ્જવળ, સફળ, મુક્ત ને ધન્ય કરે એ જ એની સાચી ફળશ્રુતિ છે. કથાશ્રવણ કાનને પવિત્ર કરીને બેસી રહેવા માટે નથી; અંતરને, અણુઅણુને, સમસ્ત જીવનને પવિત્ર અને ઉત્તમ કરવા માટે છે. એનો ખ્યાલ રાખીએ. તો જ કથાનું શ્રવણ, મનન તથા પારાયણ સાર્થક થાય. જીવનનું નિરીક્ષણ કરીને દિનપ્રતિદિન તપાસવું જોઇએ કે જીવન અજામિલની જેમ અધઃપતનના માર્ગે તો નથી જતું. જો જતું હોય તો એને એમાંથી ઉગારીને ઉન્નત કરવાની કોશિશ કરવી જોઇએ, જેથી જે ઇશ્વરે આપ્યું છે તે ઇશ્વરને માટે વપરાઇને ઇશ્વરનું બની શકે.


અજામિલની જીવનકથા


અજામિલની જીવનકથા

ભાગવતના છઠ્ઠા સ્કંધના પ્રથમ બે અધ્યાયોમાં અજામિલના ચિત્રવિચિત્ર જીવનનો સંક્ષિપ્ત છતાં સરસ અને સારગર્ભિત ઇતિહાસ આપવામાં આવ્યો છે. એ ઇતિહાસ ખૂબ જ રોચક તથા પ્રેરક છે. એ ઇતિહાસને મેં ચિત્રવિચિત્ર જીવનનો ઇતિહાસ એટલા માટે કહ્યો કે એ જીવને જુદે જુદે વખતે જુદા જુદા પલટા ખાધા છે.

ભાગવતના છઠ્ઠા સ્કંધના પ્રથમ અધ્યાયના એકવીસમા શ્લોકમાં સ્વનામધન્ય મહાત્મા શુકદેવજી પરીક્ષિતને કહે છે :

कान्यकुब्जे द्विजः कश्चिद् दासीपतिरजामिलः।
नाम्ना नष्टसदाचारो दास्या संसर्गदूषितः ॥

એ શબ્દોમાં અજામિલનું કેવું સુંદર રેખાચિત્ર દોરવામાં આવ્યું છે ? એથી અધિક સુંદર, અજામિલના વ્યક્તિત્વને સુચારૂરૂપે રજુ કરનારું સુયોગ્ય રેખાચિત્ર બીજું કોઇ ભાગ્યે જ દોરી શકાયું હોત. અનુષ્ટુપ છંદના એ એક શ્લોકમાં અજામિલ વિશે ટુંકમાં જાણવા જેવું ઘણું ઘણું કહેવામાં આવ્યું છે. કાન્યકુબ્જ નગરમાં અજામિલ નામનો એક દાસીપતિ બ્રાહ્મણ રહેતો. એ દાસીના કુસંગથી દૂષિત થઇને સદાચારના પથ પરથી ચ્યુત થઇ ગયેલો.

ખરેખર ? હા. સંગદોષમાં એવી અસાધારણ શક્તિ છે. એને લીધે સારા સારા સંસ્કારી પુરુષો પણ જીવનના મહામૂલા સંસ્કારધનને ખોઇ બેસે છે, ચંચળ બને છે, ને બુરા માર્ગે વળે છે. સત્સંગ જેમ માનવનું કલ્યાણ કરે છે તેમ કુસંગ એનું અકલ્યાણ અથવા અધઃપતન નોતરે છે. અજામિલ આમ તો બ્રાહ્મણ પુત્ર હતો પરંતુ એને વેશ્યાનો સંગ થવાથી એની બુદ્ધિ બગડી ગઇ. એની નિષ્ઠાના બધા જ પાયા હાલી ઊઠ્યા. એ કર્મધર્મને તિલાંજલિ આપીને ના કરવાનાં કુત્સિત કામ કરવા લાગ્યો. એ કોઇવાર વટેમાર્ગુઓને બળજબરી કરીને પકડતો, બાંધતો ને લૂંટી લેતો, છળકપટ કરીને લોકોની સાથે જુગારમાં જીતી જતો, તો કોઇવાર બીજાનું ધન યુક્તિ-પ્રયુક્તિથી પડાવી લેતો કે ચોરી જતો. એવી રીતે નીતિના બધા જ નિયમોને નેવે મૂકીને એ પોતાના કુટુંબનું પાલનપોષણ કરતો ને સમાજને માટે આંતકરૂપ બનતો. એના જીવનનો અઠ્યાસી વરસ જેટલો બહુમૂલ્ય વખત એવી રીતે જ વીતી ગયો.

એના જીવનના એવા અધઃપતનનું કારણ પણ જાણવા જેવું છે. ભાગવતમાં કરવામાં આવેલા વર્ણન પ્રમાણે એ શીલ, સદાચાર તથા સદ્દગુણોનો ભંડાર અને શાસ્ત્રજ્ઞ હતો. એનામાં બ્રહ્મચર્ય, વિનય, જિતેન્દ્રિયતા, સત્યનિષ્ઠા, પવિત્રતા અને મંત્રશક્તિનો સુભગ સમન્વય થયેલો. એ સૌની સેવા કરતો ને સૌનું કલ્યાણ કરવા તૈયાર રહેતો. એકવાર પોતાના પિતાના આદેશને અનુસરીને એ વનમાંથી ફળફૂલ, સમિધા તથા કુશ લઇને ઘર તરફ આવી રહેલો ત્યારે રસ્તામાં એની નજરે એક દૃશ્ય પડ્યું. શરાબના નશામાં મત્ત બનીને તથા ભાન ભૂલીને એક કામી શૂદ્ર કોઇક વેશ્યાની સાથે વિહાર કરી રહેલો. એ વેશ્યા પણ શરાબના નશામાં મતવાલી બનેલી. શૂદ્ર એને ભાતભાતના અભિનયો કરીને પ્રસન્ન કરવાની કોશિશ કરતો. એ દૃશ્યનો પ્રભાવ અજામિલના કોમળ માનસ પર ખૂબ જ પ્રતિકૂળ પડ્યો. એનું મન કામાતુર બની ગયું. નીતિ, સદાચાર અને શાસ્ત્રજ્ઞાનની બધી જ વાતો એક તરફ રહી ગઇ. એણે પોતાના મનને સંયમમાં રાખવાનો ઘણોય પ્રયાસ કરી જોયો પરંતુ એ પ્રયાસ નકામો ગયો.

અજામિલની સમજ અને સંયમશક્તિ બળવાન હોત તો એની ઉપર એ દૃશ્યનો એવો પ્રતિકૂળ પ્રભાવ ના પડત. વિષયો પોતાના ભોગોપભોગથી તો માણસને માટે અધઃપતનનું કારણ બને જ છે પરંતુ શ્રવણ, મનન, ચિંતન તથા દર્શનથી પણ વિઘાતક ઠરે છે. માટે એમનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બને તેટલા દૂર રહેવું જોઇએ. આજના સિનેમાયુગમાં ભાતભાતનાં ભદ્દાં દૃશ્યો ને ગીતો યુવક યુવતીઓનાં કુમળા માનસ પર કેવી ચિરસ્થાયી, વિપરીત અસર પહોંચાડે છે અને અનેકનાં જીવનમાં કેવી રીતે નૈતિક અધઃપતન નોતરે છે એ સહેજે સમજી શકાય તેવું છે. કેટલાક સ્ત્રીપુરુષો પોતાનાં બાળકોને પણ સિનેમામાં સાથે લઇ જાય છે. એવી રીતે એમની કેટલી બધી કુસેવા કરવામાં આવે છે એનો ખ્યાલ એમને નથી લાગતો. અજામિલ જેવા શાસ્ત્રજ્ઞ ને સદાચારી પુરુષ પર પણ બહારનાં કુત્સિત દૃશ્યોનો પ્રભાવ પડ્યો તો જે સદાચારનિષ્ઠ ને શાસ્ત્રજ્ઞ નથી એમના પર તો એમનો પ્રતિકૂળ પ્રભાવ પડે જ એમાં કહેવા જેવું શું છે ?

બસ ત્યારે. અજામિલનું અંતર એવી રીતે એકાએક વિદ્રોહ કરી ઊઠ્યું. એને સમજાવવાનું કામ ક્લેશકારક કે કઠિન થઇ પડ્યું. એ મનોમન ખૂબ જ રસપૂર્વક એ વેશ્યાનું ચિંતનમનન કરવા લાગ્યો. પોતાની પ્રેમમયી કુલીન પત્નીનો પણ એ વેશ્યાને પ્રસન્ન કરવા માટે એણે પરિત્યાગ કરી દીધો. વેશ્યાના કુટુંબનું પાલનપોષણ કરવામાં ને વેશ્યાને વિવિધ રીતે રીઝવવામાં એ પોતાના સમયને નિર્ગમન કરવા લાગ્યો. જીવનની શુદ્ધિના સુમેરૂ શિખર પરથી એકાએક નીચે પડીને એ એવી રીતે પતનની ગર્તામાં પડી ગયો.

એના બધા મળીને દસ પુત્રો હતા. એમાંથી સૌથી નાનાનું નામ નારાયણ હતું. અજામિલને એનો મોહ સૌથી વધારે હતો. એ એને જોઇને ખૂબ જ રાજી થતો અને એની સાથે જુદી જુદી રમતો રમતો.

એકવાર એનું મૃત્યુ નજીક આવી પહોંચ્યું ત્યારે એણે જોયું કે એને લઇ જવા માટે ત્રણ ભયંકર યમદૂતો આવ્યા. એમને દેખીને, ભયભીત બનીને એણે થોડેક દૂર રમતા પોતાના પુત્ર નારાયણનું નામ લીધું. એ સાંભળીને ભગવાનના પાર્ષદો એ ભગવાનનું પરમ મંગલ નામ લે છે એવું સમજીને એની પાસે આવી પહોંચ્યા. યમદૂતો અજામિલના સૂક્ષ્મ શરીરને બહાર કાઢવાની તૈયારી કરતા હતા. એમને એમણે એમ કરતાં અટકાવ્યા. એટલે એમની વચ્ચે સ્વાભાવિક રીતે જ વાદવિવાદ થયો.

અજામિલ તો કુકર્મપરાયણ હતો. એણે અંતકાળે પોતાના પુત્ર નારાયણનું નામ લીધું એટલે એ યમની યાતનામાંથી શી રીતે છૂટી શકે ? યમદૂતોની એ મુખ્ય શંકા હતી. ભગવાનના પાર્ષદોએ શંકાના સમાધાનરૂપે કહ્યું કે અજામિલે અંતકાળ વખતે ગમે તેમ તો પણ ભગવાનનું નામ લીધું હોવાથી એને યમલોકમાં ના લઇ જવાય. એણે જાણ્યે કે અજાણ્યે ભગવાનનું નામ લીધું હોવાથી એ પોતાનું કલ્યાણકર્મ કરશે જ. ભગવાનનું નામસ્મરણ કદાપિ નિષ્ફળ નથી જતું. એ એનો આશ્રય લેનારને પાપમુક્ત કરે છે ને તારે છે. નામસ્મરણમાં એટલી બધી શક્તિ છે. એ શક્તિ બીજાં નાના મોટાં તપો, વ્રતો, અધ્યયનો, તીર્થાટનો તથા દાનોની શક્તિ કરતાં ચઢી જાય છે. જે મને કે કમને, રસપૂર્વક કે રસ વગર, સમજીને કે સમજ્યા સિવાય નામસ્મરણ કે નામસંકીર્તન કરે છે તેનું જીવન પવિત્ર ને ઉજ્જવળ બને છે. નામસ્મરણની મદદથી લેવામાં આવતું ઇશ્વરનું શરણ સર્વપ્રકારે સુખદ અને શ્રેયસ્કર ઠરે છે.

ભગવાનના પાર્ષદોનું એવું સ્પષ્ટીકરણ સાંભળીને યમદૂતોને સંતોષ થયો. એમણે અજામિલના સૂક્ષ્મ શરીરને પોતાની સાથે લઇને જવાનો આગ્રહ છોડી દીધો. એમણે યમદેવની પાસે પહોંચીને સઘળી હકીકત કહી સંભળાવી.

અજામિલે ભગવાનના પાર્ષદો અને યમદૂતોનો વાર્તાલાપ સાંભળ્યો. એથી એને આનંદ થયો. એણે પાર્ષદોને પ્રણામ કર્યા. એ જ વખતે પાર્ષદો અંતર્ધાન થઇ ગયા.

એ અલૌકિક અનુભવ સ્વપ્નાવસ્થામાં થયો કે જાગૃતિમાં તેની સમજ અજામિલને ના પડી. એ વખતે એની બાહ્ય ચેતના લુપ્તપ્રાય થઇ હોવાથી એને પોતાના શરીરનું તથા બાહ્ય સંસારનું સ્મરણ નહોતું રહ્યું. પરંતુ એ અદ્દભુત અનુભવે એની કાયાપલટ કરી દીધી. એ આખોય અનુભવ એને માટે અનોખા આશીર્વાદરૂપ થઇ પડ્યો. એને પોતાનાં કુકર્મોને માટે ખૂબ જ દુઃખ થયું. એ કુકર્મોને માટે એને પાર વિનાનો પશ્ચાતાપ થવા લાગ્યો. એને થયું કે મેં કામવાસનાથી અંધ બનીને મારા આજ સુધીના જીવનને બરબાદ કરી દીધું. ઇશ્વરની સાથે સંબંધ બાંધીને ઇશ્વરની ભક્તિ કરવાને બદલે વિષયોનું જ સેવન કર્યું.

અજામિલ એવી રીતે પશ્ચાતાપ કરવા લાગ્યો. ભગવાનના પાર્ષદોનો થોડોક સમયનો સત્સંગ એને માટે ખૂબ જ કલ્યાણકારક થઇ પડ્યો. સત્સંગમાં એવી અસાધારણ શક્તિ છે. એ જેને પણ સાંપડે છે તેનું જીવન બદલાઇ જાય છે ને સાર્થક થાય છે.

પશ્ચાતાપ કરીને બેસી રહેવું એક વાત છે ને પવિત્ર તથા ઉત્તમ જીવન માટે સંકલ્પ કરીને એવા જીવનમાં પ્રવૃત્ત થવું એ બીજી જ વાત છે. અજામિલ પશ્ચાતાપ કરીને બેસી ના રહ્યો પરંતુ એણે વિશુદ્ધ પરમાત્મપરાયણ જીવન જીવવાનો નિર્ણય કર્યો. પરમાત્માપરાયણ જીવન જીવવા માગનારને માટે કદી મોડું નથી થતું. ભૂતકાળના કટુ અનુભવોમાંથી એ પદાર્થપાઠ શીખી શકે છે. વિષયોની અસારતાને અથવા વિઘાતકતાને વિચારીને વધારે સારી રીતે-વિવેક, વૈરાગ્ય તેમ જ ભગવદ્દભક્તિના પીઠબળથી આગળ વધવાની સોનેરી શક્યતા એને માટે રહેતી હોય છે. જાગ્યા ત્યાંથી સવાર સમજીને જાગેલા જ રહેવાનો અણમોલ અવસર એના જીવનમાં આવે છે. એણે એનો લાભ લેવાનો હોય છે.

અજામિલે ઉત્તમ, પવિત્ર, પરમાત્મપરાયણ જીવન જીવવાનો સંકલ્પ કર્યો, એવા જીવનની યોજના પણ બનાવી દીધી. એના અંતરમાં તીવ્ર વૈરાગ્યનો આવિર્ભાવ થયો. એથી પ્રેરાઇને સઘળા સંબંધોનો વિચ્છેદ કરીને ને મોહમુક્ત બનીને એ હરિદ્વાર તીર્થમાં ચાલ્યો ગયો.

गंगाद्वारमुपेयाय मुक्तसर्वानुबंधनः ।
(અધ્યાય ર, શ્લોક 3૯ નો ઉત્તરાર્ધ)

અને ગંગાના પ્રસન્ન પ્રવાહથી પરમપવિત્ર બનેલા હરિદ્વારના એ ઋષિમુનિસેવિત પુણ્યપ્રદેશમાં પ્રવેશીને એણે શું કર્યું તે જાણો છો ? એને બીજું શું કરવાનું હતું ? જીવનને વધારે ને વધારે પરમાત્માપરાયણ બનાવીને પરમાત્માના સુખદ સાક્ષાત્કારને માટેનો પુરુષાર્થ જ કરવાનો હતો. એ પુરુષાર્થની સિદ્ધિના પ્રયત્નમાં એણે પોતાના મનને પરોવી દીધું, ભાગવતના છઠ્ઠા સ્કંધના બીજા અધ્યાયના ૪0 મા અને ૪૧ મા શ્લોકોમાં એ પુરુષાર્થનો આછોપાતળો પરિચય કરાવતા કહેવામાં આવ્યું છે :

‘એ દેવસ્થાનમાં જઇને એણે યોગમાર્ગનું આલંબન લઇને આસન વાળ્યું અને ઇન્દ્રિયોને વિષયોમાંથી હઠાવીને મનને આત્મામાં જોડી દીધું. પછી આત્માને પણ ધ્યાનના અભ્યાસ દ્વારા ત્રિગુણાત્મિકા પ્રકૃતિના રહ્યા સહ્યા પ્રભાવમાંથી મુક્ત કરીને પરમાત્માના પવિત્રતમ સ્વરૂપમાં જોડી દીધો.’ એ વખતે એને પેલા પાર્ષદોનું ફરી પાછું દર્શન થયું. એણે એમને પ્રણામ કર્યા.

એ અદ્દભુત આત્માનુભવથી એનું જીવન ધન્ય બન્યું. અને કેમ ના બને ? જીવન એવા ઉચ્ચતમ આત્મિક અનુભવને માટે જ છે. એથી જ સાચા અર્થમાં સંપૂર્ણપણે ધન્ય બની શકે છે.

એ પછી એક દિવસ એણે પોતાના પાર્થિવ પંચમહાભૂતાત્મક તનુનો પરિત્યાગ કરી દીધો. એણે ભગવાનના પાર્ષદનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું. સ્વર્ણમય વિમાન પર આરૂઢ થઇને ભગવાનના પાર્ષદો સાથે એણે વૈકુંઠ પ્રતિ પ્રયાણ કર્યું. એની ભાગવતોક્ત જીવનકથા એવી રીતે પૂરી થઇ. એ કથાના ઉત્તરાર્ધ પરથી પ્રતીતિ થાય છે કે અજામિલનો ઉધ્ધાર કેવળ એના પુત્ર નારાયણનું નામ લેવાથી નથી થયો પરંતુ સમસ્ત જીવનને પલટાવી, પવિત્ર ને પરમાત્માપરાયણ બનાવી, હરિદ્વારમાં વસીને શ્રદ્ધાભક્તિપૂર્વક સાધના કરવાથી અને એ સાધનાની સિદ્ધિપ્રાપ્તિથી થયો છે. એ હકીકતને જેટલી પણ યાદ રાખવામાં આવે એટલી લાભકારક છે. એ પ્રત્યે સૌનું વધારે ને વધારે ધ્યાન ખેંચવાની આવશ્યકતા છે.

Skanda 06-ભાગવતનો સારસંદેશ


Skanda 06-ભાગવતનો સારસંદેશ


ભાગવતનો સારસંદેશ

Canto 06

પરમપ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય સંતશિરોમણિ શુકદેવજીના સુરદુર્લભ સત્સંગનો સ્વાદ મેળવીને પરીક્ષિતની પ્રસન્નતા ઉત્તરોત્તર વધવા માંડી. એમને થયું કે પોતાને પરમાત્માની પરમકૃપાની પ્રાપ્તિથી એક સાચા સદ્દગુરુનો સમાગમ થયો છે. એ સમાગમના સુપરિણામ રૂપે જીવન જ્યોતિર્મય ને સાર્થક બનશે. એવા સર્વોત્તમ સદ્દગુરુની કૃપાદૃષ્ટિની પ્રાપ્તિ થાય પછી શું બાકી રહે ? આ લોક કે પરલોકની એવી કયી વસ્તુ છે જે ના મળે ? અવિદ્યાનાં બંધનને તોડવાનું કામ એમને માટે જરા પણ કઠિન નથી હોતું. પરીક્ષિતને એનો અનુભવ થવા માંડ્યો. એવા સુરદુર્લભ સદ્દગુરુ બ્રહ્મા બનીને નવો જન્મ આપે છે, વિષ્ણુ બનીને એના ભાવો, વિચારો અને સંસ્કારોને - કહો કે સમસ્ત જીવનને પાળે છે, પોષે છે તથા રક્ષે છે, અને શંકર અથવા મહાદેવ બનીને એની નિર્બળતાનો, અશાંતિનો અને અવિદ્યાનો નાશ કરે છે. એટલે એ અર્થમાં એમને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વર માનવામાં આવે છે એ સાચું છે.

પરીક્ષિતની જિજ્ઞાસા વધતી જતી હતી. શુકદેવનાં અત્યાર સુધીનાં વચનો એમને સારુ સુધાવર્ષણ કરનારાં થઇ પડેલાં. એથી પ્રેરાઇને એમણે પૂછ્યું કે મને કોઇક સારો ઉપાય બતાવો જેનો આધાર લેવાથી મનુષ્યોને ભિન્નભિન્ન યાતનાઓથી ભરેલા નરકલોકમાં ના જવું પડે. ભાગવતના છઠ્ઠા સ્કંધનો આરંભ જ પરીક્ષિતની એ જિજ્ઞાસાવૃત્તિથી થાય છે.

અને ભગવાનના પરમપ્રેમી ભક્તશ્રેષ્ઠ શુકદેવ પરીક્ષિતને બીજો ક્યો ઉત્તર આપે ? એમની પાસેથી બીજા ક્યા ઉત્તરની આશા રાખી શકાય ? એમણે એમના સ્વાનુભવના આધાર પર જણાવ્યું કે સર્વ પ્રકારની વાસનાઓ તથા યાતનાઓમાંથી મુક્તિ મેળવવાનો એક માત્ર અકસીર, અમોઘ, મૂળભૂત ઉપાય ભગવાનની ભક્તિ કરવાનો, એ દ્વારા ભગવાનની પાસે પહોંચવાનો ને ભગવત્સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિનો છે.

સમસ્ત ભાગવતનો એ એક અગત્યનો સર્વોપયોગી સારસંદેશ છે. એને ભાગવતનું સુપ્રસિદ્ધ ધ્રુવપદ કહીએ તો પણ ચાલે. એનું ચિંતન, મનન અને રટણ ભાગવતમાં અવારનવાર - જ્યારે જ્યારે સાનુકૂળ હોય છે ત્યારે કરવામાં આવે છે. ભાગવત એવી રીતે સૂચવવા માગે છે કે સર્વ પ્રકારના ક્લેશોની કે દુઃખોની આત્યંતિક નિવૃત્તિનો એક માત્ર ઉપાય ભાગવત બનવાનો કે ભગવાનના થવાનો છે. જે ભગવાનના બને છે ને ભગવાનની કૃપા માટે જીવે છે, તલસે છે કે કોશિશ કરે છે, તે સુખી થાય છે. એનું જીવન ઉજ્જવળ બને છે. શુકદેવજી અહીં એ જ સર્વકલ્યાણકારક સંદેશને સંભળાવી રહ્યા છે ને જણાવે છે કે ભક્તિનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ, સરળ, સલામત, ભયરહિત અને મંગલ છે. એનો આશ્રય લેનાર આ લોકની અને પરલોકની બધી જ યાતનાઓમાંથી મુક્તિ મેળવી ભગવાનની સંનિધિ પામીને ધન્ય બને છે.

નરક અને સ્વર્ગની વાતો આપણે ત્યાં કેટલીય કરવામાં આવે છે. એ સ્વર્ગ અને નરકનું દર્શન આપણને અહીં જ નથી થતું ? જ્યાં જ્યાં સુખ છે, શાંતિ છે, સંપ છે, સહયોગ છે, સદ્દભાવ અને એથી યુક્ત સત્કર્મોનું અનુષ્ઠાન છે ત્યાં ત્યાં સ્વર્ગ છવાયલું છે એવું નથી લાગતું ? એથી ઉલટું જ્યાં જ્યાં વ્યસન, અપવિત્રતા, દુઃખ, દીનતા, દુર્વિચાર, દુર્ભાવ કે દુષ્કર્મ છે ત્યાં ત્યાં નરકની નિશાની છે એવી છાપ પડ્યા વિના નથી રહેતી. સ્વર્ગ અને નરક એવી રીતે માનવની અંદર અને બહાર રહેતાં હોય છે અને એ બંનેમાંથી ક્યાં રહેવું એ માનવે પોતે જ પસંદ કરવું પડે છે.

ભાગવત કહે છે કે પાપી અથવા દુરાચારીએ પણ નાહિંમત નથી બનવાનું કે નથી ડરવાનું. જીવનના મંગલનો માર્ગ સૌ કોઇને માટે ઊઘાડો છે. જીવનની એકે ક્ષણ એવી નથી જ્યારે માણસના વિકાસનાં બધા જ બારણા બંધ થઇ જાય. માણસ જાગ્રત બનીને ને ઇશ્વરપરાયણ થઇને ગમે ત્યારે વિકાસ સાધીને આત્મકલ્યાણ કરી શકે છે.

જીવનના ગમે તેવા ને ગમે તેટલા આત્મિક અધઃપતન પછી પણ માણસ જાગ્રત થઇ શકે છે એટલું જ નહિ પરંતુ સાચા અર્થમાં ને સંપૂર્ણપણે જાગ્રત થઇને જીવનને સુધારી અથવા જ્યોતિર્મય બનાવીને આત્મોન્નતિના સ્રવોચ્ચ શિખર પર આસીન થઇ શકે છે એ હકીકતમાં મનુષ્યજાતિને માટે અને ખાસ કરીને અધઃપતનના પંથે પ્રયાણ કરી ચૂકેલા પુરુષોને માટે કેટલી બધા પ્રેરણા રહેલી છે ? માણસના જીવનમાંથી આશાનું કિરણ કદાપિ નથી ખૂટતું. ઇશ્વરના મંગલ મંદિરમાં એનું સદાયે, સ્નેહપૂર્વકનું સ્વાગત થાય છે. માયાળુ માતાની પેઠે ઇશ્વર એને બે હાથ ફેલાવીને અપનાવવા અને ભેટવા સદા તૈયાર રહે છે હકીકત જ કેટલી બધી રોમાંચક છે ? ઇશ્વરનો મહિમા એવો અવર્ણનીય અને અનંત છે. માણસ એ મહિમાને સમજી લે એટલી જ વાર છે. અધઃપતનની ગર્તામાં પડેલો ગમે તેવો માણસ પણ પોતાના અધઃપતનને સમજી લે, એને માટે પશ્ચાતાપ કરે, એમાંથી બહાર નીકળવાનો નિર્ણય ને પ્રયત્ન કરે, પોતાની ભૂલોનું પુનરાવર્તન ના કરે અને ઇશ્વરનું સાચા દિલથી શરણ લે તો પોતાની કાયાપલટ કરી શકે છે. જીવનના પરિશોધન અને પરિત્રાણને માટે કદી પણ મોડું નથી થતું. એવું પરિશોધન અને પરિત્રાણ ગમે તે પળથી પ્રારંભી શકાય છે. એને પરિપૂર્ણ પણ કરી શકાય છે. ભાગવતનો એ સુંદર, સર્વોપયોગી, સનાતન સંદેશ છે અને એનો પ્રતિઘોષ છઠ્ઠા સ્કંધમાં કહેવામાં આવેલા અજામિલના જીવનના ઇતિહાસમાં પાડવામાં આવ્યો છે. એ પ્રતિઘોષ ખૂબ જ કલ્યાણકારક હોવાથી એને સાંભળવાનું આવશ્યક છે.

આપણે ત્યાં અજામિલની જીવનકથાના સંબંધમાં શિક્ષિત અને અશિક્ષિત લોકોમાંના કેટલાંકમાં કેટલીક ગેરસમજ પ્રવર્તે છે. એ ગેરસમજને દૂર કરવાની આવશ્યકતા છે. એવી ગેરસમજથી પ્રેરાઇને કેટલાય લોકો કહે છે કે અજામિલ ખૂબ જ પાપી હતો. એણે સદધર્મને અને સત્કર્મને તિલાંજલિ આપેલી. ઇશ્વરને અને ઇશ્વરની ભક્તિને તો એ તદ્દન ભૂલી ગયેલો. તો પણ એનો ઉદ્ધાર થયો, એને ભગવદ્દધામની પ્રાપ્તિ થઇ, અને એ એટલા માટે કે એણે પોતાના નાના પુત્ર નારાયણનું નામ લીધું. કેટલાક લોકો એમ પણ કહે છે કે એવી રીતે જીવનભર આપણે ગમે તેવા કુકર્મો કરીશું અથવા ઇશ્વરને ભૂલીને વિપથગામી બનીશું તો પણ અંતકાળે નારાયણ જેવું ભગવાનનું નામ લઇશું એટલે ભગવદ્દધામની પ્રાપ્તિ થશે કે મોક્ષ મળી જશે. આવો સીધો, સહેલો ને સચોટ રસ્તો છોડીને જીવનભર ધર્મપાલન કરવાની કડાકૂટમાં શા માટે પડવું ? એવા લોકો ભાગવતના મર્મને અને અજામિલના જીવનના રહસ્યને સંપૂર્ણપણે સમજ્યા નથી એમ જ કહેવું જોઇએ. એમણે ભાગવતમાં વર્ણવાયલા અજામિલના જીવનવૃતાંતને સારી પેઠે વાંચવો-વિચારવો જોઇએ. તો એમની એ ભ્રાંતિ દૂર થશે ને સમજાશે કે અજામિલને મળેલી સદ્દગતિ કે મુક્તિ કેવળ એના પુત્રના નામસ્મરણને આભારી નહોતી પરંતુ એની પાપકર્મનિવૃત્તિ, ભગવદ્દભક્તિ તથા ઇશ્વરપરાયણતાને આભારી હતી. અવનીના આધ્યાત્મિક ઇતિહાસમાં એવું એક પણ ઉદાહરણ નથી મળતું જેમાં એવું બતાવવામાં આવ્યું હોય કે માણસ છેવટ સુધી કુકર્મ કરતો હોય, જીવનની છેલ્લી ક્ષણ સુધી વિષયાભિમુખ અને ઇશ્વરવિમુખ હોય તો પણ એને જીવનની જરુરી વિશુદ્ધિ વિના ભગવાનની કૃપાની પ્રાપ્તિ થઇ હોય. માણસે પરમાત્માની કૃપાપ્રાપ્તિ કે પ્રસન્નતા માટે પોતાના જીવનના પ્રવાહને પલટાવીને પવિત્ર તથા પરમાત્મપરાયણ કરવો જ પડ્યો છે. અજામિલના જીવનનો ઇતિહાસ પણ એમાં અપવાદરૂપ કેવી રીતે હોઇ શકે ? અજામિલ કુમાર્ગગામી બન્યો હતો એ સાચું પરંતુ એણે પવિત્રતાના પંથ પર પ્રયાણ કરીને ભગવાનની એકનિષ્ઠ ભક્તિ કરી ત્યારે જ એનું આત્મકલ્યાણ થઇ શક્યું. એ હકીકતની પ્રતીતિ ભાગવતને ધ્યાનપૂર્વક વાંચવા-વિચારવાથી સહેલાઇથી થઇ રહેશે. ભાગવતના આધાર પર જ એ વાતનું વિહંગાવલોકન કરી લઇએ.


જડભરત અને રાજા રહુગણ


જડભરત અને રાજા રહુગણ

ભાગવતના પાંચમા સ્કંધના દસમા અધ્યાયથી પ્રારંભીને તેરમા અધ્યાયપર્યંત ચાર અધ્યાયોમાં જડભરત અને રાજા રહૂગણના પ્રસંગને અંકિત કરવામાં આવ્યો છે. એ પ્રસંગ પણ સુખ કે દુઃખ જે આવે તેને કોઇ પણ પ્રકારના પ્રતિકાર વિના ઉદાસીનતાપૂર્વક શાંતિથી સહન કરવાની જડભરતની વિશિષ્ટ દૃષ્ટિ તથા પદ્ધતિનો પરિચાયક છે. સાથે સાથે એમના અસાધારણ આત્મજ્ઞાનને પણ રજૂ કરે છે.

તત્વજ્ઞાનની જિજ્ઞાસાથી કપિલ ઋષિના આશ્રમ તરફ જઇ રહેલા સિંધુ તથા સૌવીર દેશના રાજા રહુગણની પાલખી ઉપાડવા માટે એક પુરુષની આવશ્યકતા હોવાથી ઇક્ષુમતી નદીના તટ પર પાલખી ઉપાડનારાના અધિકારીએ એવા પુરુષની શોધ કરવા માંડી. માર્ગમાં મળેલા જડભરતને સર્વ પ્રકારે સુયોગ્ય સમજીને એણે પાલખી ઉપાડવાના કામમાં લગાડ્યા. જડભરતે મૂંગામૂંગા એ કામ કરવા માંડ્યું તો ખરું પરંતુ જીવનમાં પ્રથમવાર જ એવું કામ કરતા હોવાથી એ એને ન્યાય ના કરી શક્યા. પાલખી ઘડીમાં ઊંચી તો ઘડીમાં નીચી થવા લાગી. જડભરત કોઇ જીવની હિંસા ના થાય એ માટે ખૂબ જ સંભાળપૂર્વક ચાલતા હોવાથી બીજા કરતાં પાછા પડી જતા. એ જોઇને રાજા રહુગણે એમને ક્રોધે ભરાઇને ઠપકો આપતાં કહેવા માંડ્યું કે તું જીવતાં જ મરી ગયો લાગે છે. જેમ યમદેવ મનુષ્યોને શિક્ષા કરે છે તેમ મારે પણ તારા પ્રમાદને માટે તને ભયંકર શિક્ષા કરવી પડશે. તે સિવાય તારી બુદ્ધિ ઠેકાણે નહિ આવે.

રહુગણે એવું તો કેટલુંય કહ્યું ત્યારે જડભરતે શાંતિપૂર્વક સ્મિત કરતાં એને ઉત્તર આપ્યો. એ ઉત્તર જ્ઞાનથી ભરપુર હોવાથી ખાસ ઉલ્લેખનીય છે. એનો સારાંશ સમજવા જેવો છે. જડભરતે જણાવ્યું કે તારું કથન સત્ય છે. ભાર નામે કોઇ પદાર્થ નથી. તેને દેહની સાથે સંબંધ નથી, અને દેહની સાથે મારે સંબંધ નથી. તેં કહ્યું કે ‘તું પુષ્ટ નથી’ એ પણ સત્ય છે, કારણ કે જ્ઞાનીઓ ચેતનને પુષ્ટ નથી માનતા. સ્થૂળતા, કૃશતા, વ્યથા, ક્ષુધા, તૃષા, ભય, કલહ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા, નિદ્રા, મૈથુન, ક્રોધ, અહંકાર, મદ તથા શોક દેહની સાથે જન્મેલાને હોય છે; મને નથી: વિકારવાળા બધા પદાર્થો જીવતાં મરેલા જેવા જ છે. રાજા તથા સેવકના ભેદ કેવળ વ્યવહારિક છે, વાસ્તવિક નથી. તું મને શિક્ષા કરવાની વાત કહે છે પરંતુ હું તો સ્વરૂપને પામી ચૂક્યો છું. એટલે મને મુક્તને શિક્ષાની અસર શી થવાની ? કદાચ હું મુક્ત ના હોઉં ને જડ હોઉં તો પણ મને શિક્ષાદિ કરવાનું વ્યર્થ છે.

એવા જ્ઞાનયુક્ત શબ્દો સંભળાવીને જડભરત ફરી પાછા પાલખી ઉપાડવા લાગ્યાં. જીવનમુક્ત જ્ઞાની પુરુષો વ્યક્તિગત માનપાન કે સુખદુઃખથી અલિપ્ત રહે છે. એને એ એટલું બધું-અજ્ઞાની અથવા વિષયી મનુષ્યો જેવું મહત્વ નથી આપતા. એ એમની નિમ્ન પ્રકૃતિ પર વિજય મેળવી ચુક્યા હોય છે.

જડભરતના શબ્દોને શાંભળીને રહુગણના હૃદયપ્રદેશમાં પ્રકાશ થયો. એને સમજાયું કે જડભરત કોઇ સામાન્ય પુરુષ નથી. એ તરત જ પાલખી પરથી ઉતરીને જડભરતના પગમાં પડ્યો ને ક્ષમા પ્રાર્થનાપૂર્વક કહેવા માંડ્યો કે તમારા સત્ય સ્વરૂપને  સમજી ના શકવાથી હું તમારો અનાદર કરી બેઠો. તમે સાચેસાચ કોણ છો ? દત્તાત્રેય જેવા કોઇક અવધૂત છો ? કોના સુપુત્ર, ક્યાંના નિવાસી છો, અને ક્યા વિશિષ્ટ હેતુથી વિચરણ કરો છો ? તમે પોતે પરમ કૃતકૃત્ય મહાજ્ઞાની કપિલ મુનિ તો નથી ? હું આત્મજ્ઞાનના અવતાર જેવા મહર્ષિ કપિલને આ સંસારમાં શું શરણ લેવા જેવું છે તે પૂછવા માટે જઇ રહ્યો છું. એ કપિલ મુનિ તમે પોતે જ હો તો તો મારું ભાગ્ય ઊઘડી ગયું એમ જ લાગે છે. મારા જેવો ગૃહાસક્ત મંદબુદ્ધિ માનવ તમારા જેવા દિવ્ય યોગીવરની ગતિને કેવી રીતે જાણી શકે ? મેં અહંકારથી ઉન્મત્ત બનીને તમારા જેવા મહાપુરુષનું અપમાન કર્યું તેનું મને દુઃખ છે. તમે સમસ્ત સંસારના મિત્ર, સમભાવથી સંપન્ન અને દેહાધ્યાસથી રહિત છો. મારી ઉપર કૃપાદૃષ્ટિ કરીને મને શાંતિ આપો.

રહુગણની પ્રાર્થનાને લક્ષમાં લઇને જડભરતે એને અનુભવપૂર્ણ આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી એને અભિનવ જ્ઞાન પ્રકાશની પ્રાપ્તિ થઇ. જડભરતના સદુપદેશનો કેટલોક કલ્યાણકારક સારાંશ આ રહ્યો, :

‘મન જો વિષયોમાં આસક્ત થાય છે તો દુઃખ આપે છે ને વિષયોમાં આસક્તિ કરતું નથી તો મુક્તિ પ્રદાન કરે છે. ’

‘મનુષ્ય સર્વે સંગોનો ત્યાગ કરી, ષડરિપુને જીતી, જ્ઞાનની મદદથી માયાને દૂર કરી દઇ, આત્મતત્વને નથી જાણતો ત્યાં સુધી સંસારમાં ભમ્યા કરે છે.’

‘મન જ શોક, મોહ, રોગ, રાગ, લોભ તથા વેરનું કારણ છે અને મમતા પેદા કરે છે. એ મનરૂપી શત્રુને શ્રીહરિના ચરણકમળની ઉપાસનારૂપી શસ્ત્રથી છેદી નાખ.’

જડભરતનાં વચનો રહુગણને માટે અમૃતતુલ્ય થઇ પડ્યાં. એથી એના સઘળા સંશયો છેદાઇ ગયા. એને શુદ્ધતર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ.

જડભરતે રહુગણને બીજો આવશ્યક ઉપદેશ પણ પ્રદાન કર્યો. એ ભાગવતના અમર ઉપદેશોમાંનો એક હોવાથી એને ભાગવતની મૂળ ભાષામાં જ રજૂ કરીએ :

रहुगणैतत्तपसा न याति न चेज्यया निर्वपणाद् गृहाद्वा ।
न च्छन्दसा नैव जलाग्निसूयैर्विना महत्पादरजोङभिषेकम् ॥
(સ્કંધ પ, અધ્યાય ૧ર. શ્લોક ૧ર.)

‘હે રહુગણ ! એ પરમ સત્યરૂપી પરબ્રહ્મની પ્રાપ્તિ મહાપુરુષોની ચરણરજને મસ્તક પર ચઢાવ્યા વિના કેવળ તપ કરવાથી, યજ્ઞયાગનો આશ્રય લેવાથી, અતિથિસત્કારથી, ગૃહસ્થોચિત કર્મોથી, વેદાદિ શાસ્ત્રોના સ્વાધ્યાયથી કે જળ, અગ્નિ અને સૂર્યની ઉપાસના કરવાથી પણ નથી થતી.’

‘મારા પૂર્વ જન્મમાં હું ભરત નામે રાજા હતો. જોવાયલા અને સંભળાયેલા વિષયોના સંગદોષથી મુક્ત હતો. કેવળ ભગવાનની ભક્તિમાં મેં મારા મનને લગાડેલું. પરંતુ મૃગનો સંગ થવાથી મારા જીવનધ્યેયને હાનિ પહોંચી અને મારે મૃગ થવું પડ્યું. ’

‘એવી રીતે મૃગના શરીરની પ્રાપ્તિ થવા છતાં શ્રીકૃષ્ણ ભગવાનની સેવાથી મને પૂર્વજન્મની સ્મૃતિ રહેલી. પૂર્વજન્મની એ સ્મૃતિ આજે પણ કાયમ રહી છે. હવે હું સર્વ પ્રકારના સંગથી રહિત બનીને, ખૂબ જ સાવધાન રહીને, ગુપ્ત રીતે વિચરું છું.’

જડભરતના સ્વાનુભવયુક્ત શબ્દોને સાંભળવાથી રહુગણનો અવિદ્યાજન્ય મોહ મટી ગયો. એને નવી દૃષ્ટિ કે સન્મતિ મળી. જડભરત જેવા લોકોત્તર મહાપુરુષના મેળાપથી કોનું શ્રેય ના સધાય ? સૂર્યનો પ્રકાશ પથરાતાં અંધકાર રહી શકે ખરો ? રહુગણનું જીવન પણ અવનવીન પ્રકાશે પુલકિત બન્યું.

સર્વ જન્મોમાં મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ છે. બીજા સ્વર્ગાદિ લોકોની પ્રાપ્તિ થાય તો પણ શું ? એમાં જડભરત જેવા સત્પુરુષોનો સમાગમ એટલા બધા પ્રમાણમાં નથી થતો. એવા સ્વનામધન્ય પ્રાતઃસ્મરણીય શ્રેષ્ઠ સત્પુરુષોની પવિત્ર પદરજથી મનુષ્યનાં પાપો નાશ પામે છે અને એને ભગવાનની અલૌકિક ભક્તિની પ્રાપ્તિ થાય છે. એવા સત્પુરુષોના સ્વર્ગસુખદ સમાગમથી શું નથી થતું ? એમના શુભાશીર્વાદ સદા સુખમય ઠરે છે.

મનુષ્ય જન્મની સાચી સફળતા સ્વનામધન્ય સાચા સત્પુરુષોના સંસર્ગમાં અને એ દ્વારા સાંપડતી ભગવાનની ભક્તિમાં રહેલી છે. જીવનમાં બીજું બધું જ હોય પરંતુ એ ના હોય તો જીવનની સફળતા, શોભા ને સંપૂર્ણતા અધુરી રહી જાય છે. રહુગણના જીવનની એ ક્ષતિની પૂર્તિ થઇ. એણે જડભરતની પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરી.

જડભરત રાજા રહુગણના જીવનમાં પ્રકાશ પાથરીને શાંતિથી ચાલવા માંડ્યા.

જીવનની તે જ ક્ષણો-પાવન પળો ધન્ય છે જે સંતસમાગમમાં, સંતસેવામાં અને આત્મવિકાસની સાધનામાં પસાર થાય છે; જે જીવનને વિષયાભિમુખ બનાવવાને બદલે વધારે ને વધારે ઇશ્વરાભિમુખ બનાવે છે; અને જે જીવનને અંધકારથી પ્રકાશમાં. અશાંતિમાંથી શાંતિમાં, અસત્યમાંથી પરમસત્યમાં ને બંધનની અવસ્થામાંથી નિર્બંધાવસ્થામાં લઇ જાય છે, તે જ પળો જીવનની સાચી પળો છે. જે પળો વિવિધ વિષયોના સેવનમાં, પ્રમાદમાં અને દુષ્કર્મમાં વીતે છે તે પળો જીવનનો હાસ કરે છે ને જીવનને અંધકારથી ભરે છે. જીવરૂપી પ્રવાસીએ જીવનનો પુણ્યપ્રવાસ ખૂબ જ વિવેકપૂર્વક સંભાળીને કરવો જોઇએ. તો જ તે પ્રવાસ સફળ થાય.

ભરતનો પુનર્જન્મ - જડભરત


ભરતનો પુનર્જન્મ - જડભરત

મૃગશરીર છૂટયા પછી ભરતનો જન્મ ઉત્તમ, ધર્મપરાયણ, દૈવી સંપત્તિથી સંપન્ન બ્રાહ્મણને ત્યાં થયો. એ બ્રાહ્મણ શરીરમાં પણ પૂર્વજન્મની સ્મૃતિ કાયમ રહેવાથી એ સમસ્ત પ્રકારના બાહ્ય સંગદોષથી દૂર રહીને ઇશ્વરના સ્મરણ, મનન તથા ધ્યાનમાં મગ્ન રહેતા. એ જડની જેમ વર્તતા હોવાથી લોકો એમને જડભરત તરીકે ઓળખવા લાગ્યા.

એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી દેહાભિમાન નહોતું થતું. માતાપિતાના મૃત્યુ પછી એ અવધૂત રૂપમાં પૃથ્વી પર વિચરવા માંડ્યા. એ વખતે એમના જીવનમાં એક બનાવ બન્યો. એ બનાવ ખૂબ જ કરૂણ અને આકસ્મિક હતો. કોઇક શૂદ્ર જાતિના ચોરોના સરદારે સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પ્રેરાઇને ભદ્રકાલી દેવીને પુરુષનું બલિદાન આપવાની બાધા રાખેલી. એના સેવકો એક પુરુષને પકડી લાવેલા પણ ખરા, પરંતુ તે પુરુષ બંધનમાંથી છૂટીને નાસી ગયો એટલે બલિદાન માટે એવા જ એક બીજા પુરુષની આવશ્યકતા ઊભી થઇ. બીજા સુયોગ્ય પુરુષની શોધ કરતા સેવકોની નજર જડભરત પર પડી. એમને એ બીજી બધી રીતે યોગ્ય લાગવાથી એ એમને દોરડાથી બાંધીને દેવીના મંદિરે લઇ ગયા. ત્યાં એ ચોર લોકોએ એમને વિધિપૂર્વક સ્નાન કરાવીને નવાં વસ્ત્રો, ઘરેણાં, ચંદન, પુષ્પમાળા તથા તિલકથી શણગાર્યા, જમાડ્યા, ને વિવિધ વાદ્યોના ઉલ્લાસસૂચક અવાજ સાથે દેવીની પ્રતિમાની આગળ હાજર કર્યા. એ પછી ચોરોના સરદાર પુરોહિતે એમનો શિરચ્છેદ કરવાની આશયથી એક મહાભયંકર સુતીક્ષ્ણ તલવાર લીધી. એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જડભરત તદ્દન નિર્વિકાર, નિર્ભય ને શાંત રહ્યા, પરંતુ એ દારુણ દુષ્કર્મનો દંડ દેવા માતા ભદ્રકાલી પોતે જ અલૌકિક બ્રહ્મતેજથી દૈદીપ્યમાન બનીને પ્રતિમામાંથી બહાર નીકળ્યા. એમણે પેલા પુરોહિતની તલવારથી બધા ચોરોનાં મસ્તક કાપી નાખ્યાં, ને જડભરતની અદ્દભુત રીતે રક્ષા કરી. દેવી અંતર્ધાન થયાં એટલે જડભરત ત્યાંથી શાંતિપૂર્વક ચાલી નીકળ્યા.

કેટલો બધો અદ્દભુત પ્રસંગ ! એ પ્રસંગ પરથી પુરવાર અથવા પ્રતીત થાય છે કે એ જમાનામાં માનવ બલિદાન દેવાની એવી અમંગલ અનિષ્ટકારક પ્રથાઓ પ્રવર્તમાન હતી. દેવીને પ્રસન્ન કરીને મનોવાંછિત પદાર્થની પ્રાપ્તિ કરવા માટે એવી પશુપ્રથાનો આધાર લેવાતો. શુભાશુભ, હિંસક-અહિંસક ઉપાસનાના પ્રકારો એ જમાનામાં પણ વિદ્યમાન હતા.

બીજી એક ઉલ્લેખનીય હકીકત એ છે કે પરિસ્થિતિ એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચી અને પોતાના શિરચ્છેદનો સમય આવ્યો તોપણ જડભરત શાંત કે નિષ્ક્રિય જ રહ્યા. એમણે એનો પ્રતિકાર ના કર્યો. કારણ કે એ અસાધારણ આત્મભાવમાં સ્થિત હતા અને જાણતા હતા કે પોતે શરીર નથી. શરીરને ગમે તે થાય તેથી પોતાને શું ? એમની અવિદ્યાગ્રંથિ કાયમને માટે તૂટી ગયેલી. એવા આત્મજ્ઞાની પુરુષોનું શરીર રહે તો પણ શું અને ના રહે તો પણ શું ? એમને માટે એ વસ્તુ ગૌણ હોય છે.

કથાનો એક બીજો વિશેષ સંદેશ એ છે કે એવા આત્મતૃપ્ત, આત્મારામ જ્ઞાની, યોગી કે ભક્તની રક્ષા ભગવાન પોતે જ કરે છે, ભદ્રકાલી માતાના સ્વરૂપમાં સ્વયં ભગવાને જ જડભરતની રક્ષા કરી.

એનો અર્થ એવો નથી કે જ્ઞાની, યોગી કે ભક્ત એવા પ્રતિકૂળ પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે એમને મૂંગા મોંઢે તાબે થાય અને એમાંથી છૂટવાનો પ્રયત્ન જ ના કરે. જ્યાં સુધી એવો પ્રતિકારાત્મક પ્રયત્ન યોગ્ય લાગે છે ત્યાં સુધી એવો પ્રયત્ન કરવામાં કશું ખોટું નથી. એથી આત્મજ્ઞાનનું, યોગનું કે ભક્તિનું બળ ઓછું નથી થતું. એ બાબતે કોઇની નકલ કરવાને બદલે પોતાને સારુ જે સહજ ને સુયોગ્ય હોય એ જ કરવાની આવશ્યકતા છે. આત્મા કે પરમાત્માની નિષ્ઠાને અખંડ રાખીને પ્રત્યેકે પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાની વૃત્તિ, દૃષ્ટિ કે પ્રકૃત્તિ અને પસંદગી પ્રમાણે વર્તવાની આવશ્યકતા છે. સૌ કોઇ જડભરત જેવા બનીને જડભરતની જેમ વર્તી ના શકે એ દેખાતું છે.

રાજા ભરતનું ચરિત્ર


રાજા ભરતનું ચરિત્ર

હવે રાજર્ષિ ભરતનું જીવનચરિત્ર શરૂ થાય છે. એ ચરિત્ર આમ તો સૌ કોઇને વિદિત હોવાથી એની નાનીનાની વિગતોમાં પડવાને બદલે એનો ઊડતો ઉલ્લેખ કરીએ તો ઠીક ગણાશે.

ભારતની પૂર્વે આ ખંડ અજનાભના નામથી ઓળખાતો. ભરતના રાજ્યકાળ દરમિયાન એનું નામ ભારતવર્ષ પડ્યું.

ઉત્તરાવસ્થા સમીપે આવતાં એમણે સામ્રાજ્યશાસનનાં સૂત્રો પોતાના સુપુત્રોને સોંપીને ગંડકી નદીના તટપ્રદેશ પર આવેલા હરિક્ષેત્રમાં સ્થપાયલા પુલહ ઋષિના એકાંત આશ્રમ પ્રતિ આત્મકલ્યાણની ઇચ્છાથી પ્રયાણ કર્યું.

પુલહાશ્રમના ઉપવનમાં એમણે એકલા રહીને એમના મનને ઇશ્વરારાધનમાં પરોવી દીધું. એ ઇશ્વરારાધનના પરિણામે એમના અંતરમાં જે ઉત્કટ ભાવાદ્વેગ થઇ આવતો તેને લીધે એમની આંખમાંથી અવારનવાર પ્રેમાશ્રુના પ્રવાહો વહેવા માંડતા, એમને રોમાંચ થઇ આવતાં, અને એ જડ શૂન્યમનસ્ક કે મંત્રમુગ્ધની જેમ એમનો મોટા ભાગનો સમય પસાર કરતાં. ઇશ્વરના સ્મરણ, મનન અને નિદિધ્યાસનમાં એમને સ્વર્ગસુખનો અનુભવ થતો.

અને ત્યાં તો એમનું શેષ પ્રારબ્ધકર્મ મૃગશાવકના સ્વરૂપમાં સાકાર બનીને એમના જીવનમાં અચાનક આવી પહોંચ્યું. એક દિવસ સવારે એ સંધ્યા વંદનાદિ કર્મથી નિવૃત્ત થઇને પ્રણવમંત્રના જપ કરતા ગંડકી નદીના તપઃપૂત તટપ્રદેશ પર બેઠા હતા ત્યારે એક મૃગલી પાણી પીવાની ઇચ્છાથી ત્યાં આવી પહોંચી. એણે પાણી પીવાનો પ્રારંભ કર્યો ત્યાં જ સમીપમાં ઘુરકી રહેલા સિંહની ભયંકર ગર્જના સંભળાઇ. એ સાંભળીને મૃગલી ભયભીત બની ગઇ. એની કાયા કંપવા લાગી, અને એ એકદમ કૂદીને નદીને ઓળંગી ગઇ. એ વખતે એના ઉદરમાનું મૃગશાવક નીચે પડ્યું અને એ મૃગલી પર્વતની નજદીકની કંદરામાં દોડી જઇને ભયાકુળાવસ્થામાં જ મૃત્યુ પામી.

નદીના પાવન પ્રવાહમાં તણાતા પેલા અનાથ મૃગશાવકને દેખીને ભરતના દિલમાં દયા પેદા થઇ. એ દયાભાવથી પ્રેરાઇને એને એ પોતાના આશ્રમમાં લઇ આવ્યા.

એ અનાથ મૃગશાવકને જોઇને ભરતને એના પ્રત્યે કરૂણા કે દયા થઇ એમાં કશું ખોટું હતું ? ના. દયાને તો ધર્મનું મૂળ માનવામાં આવે છે; ધર્મના ચાર પદમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે; અને કોઇ પણ ધર્મ મનુષ્યને નિર્દય થવાનો સંદેશ નથી આપતો.

‘दया धर्मका मूल है, पाप मूल अभिमान ।
तुलसी दया न छोडीए जब लग घटमें प्राण ॥’

એમ કહીને સંત તુલસીદાસે શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી દયાનો ત્યાગ ના કરવાની સ્પષ્ટ સુચના આપી છે. નદીના પ્રવાહમાં પડીને પ્રવાહિત થતા મૃગશાવકને કરૂણાથી પ્રેરાઇને બચાવવામાં કાંઇ ભરતની ભૂલ નહોતી થઇ. એને ઊંચકીને પોતાના સરિતાતટવર્તી એકાંત આશ્રમમાં લાવવામાં અથવા એને આશ્રય આપવામાં પણ એમની ભૂલ નહોતી થઇ. ના. અનાથને આશ્રય આપવો અને આંતકગ્રસ્તને આતંકમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરવો એ તો દાનવીય નથી પરંતુ માનવીય ને ધર્મસંગત છે. આશ્રમમાં આવ્યા પછી એમણે એની સ્નેહપૂર્વક સંભાળ રાખી એમાં પણ કશું ખોટું ન હતું. એ પણ એમની ભૂલ ન હતી. શરણાગતની સર્વપ્રકારે સંભાળ રાખવી ને સેવા કરવી એ કાંઇ ભૂલ ન કહેવાય. એવી સંભાળ ના રાખવામાં આવે કે સેવા ન કરવામાં આવે તો જ ભૂલ થઇ એવું કહી શકાય તો પછી ભરતની ભૂલ ક્યાં થઇ ? વિવેકની જ્યોતિને જાગ્રત ના રાખવામાં, મૃગશાવકમાં અસાધારણ મમતા, આસક્તિ અથવા અનુરક્તિ કરવામાં અને એને પરિણામે પોતાના જીવનના ધ્યેયને, એકાંતવાસના પ્રયોજનને અને સાધનાને ભૂલી જવામાં. સાધકને માટે પ્રમાદ અને જીવનધ્યેયની વિસ્મૃતિ જેવો મહાદોષ બીજો એકે નથી. એ મહાદોષમાં પડીને સાધક પોતાનું અકલ્યાણ કરી બેસે છે.

ભરત મૃગશાવકમાં આસક્તિ કરી બેઠા એ એમની ભૂલ થઇ. અને એ આસક્તિ પણ કેવી ? સાધારણ નહિ પરંતુ એકદમ અસાધારણ. એ અસાધારણ આસક્તિમાં અટવાઇને એ એમના આત્મવિકાસના સાધનાત્મક અભ્યાસક્રમને, સંધ્યાવંદનને, સ્તોત્રપાઠને, ધ્યાનને, ઇશ્વરચિંતનને ને પ્રણવમંત્રને પણ ભૂલી ગયા. મૃગશાવકની સૃષ્ટિ જ એમની એકમાત્ર સૃષ્ટિ બની ગઇ. એ અહર્નિશ એના જ વિચારો કરવા લાગ્યા, એની સાથે બેસવા સુવા તથા ફરવા લાગ્યા, અને એના ભવિષ્યની ચિંતા કરવા માંડ્યા. એ મૃગશાવકમાં જે આસક્તિ કરી બેઠા એ આશ્ચર્યકારક નથી. ના જરા પણ નહિ. પરમાત્માની માયાને જે જરાક પણ જાણે છે તે તો સમજે છે કે એના પ્રભાવમાંથી છૂટવાનું કામ કપરું છે. એ સાધકની સુધરેલી ને સુધરતી જતી સાધનાબાજીને ક્યારે, ક્યાં ને કેવી રીતે બગાડી નાંખે એ વિશે ચોક્ક્સપણે કશું ના કહી શકાય. આત્મજાગૃતિ, સાધનાની નિષ્ઠા, સતત પુરુષાર્થપરતા તથા ઇશ્વરકૃપા હોય તો એ બાજી સંપૂર્ણપણે સફળ થઇ શકે.

આસક્તિ અને એના પરિણામે પ્રાપ્ત થયેલી સાધનાની વિસ્મૃતિની એવી દયનીય દશામાં ભરતનો અંતકાળ આવી પહોંચ્યો. અંતકાળ સમસ્ત જીવનનો નિર્ણાયક કાળ છે. એની ઉપર જીવનની ગતિનો આધાર છે. ભરત ધારત તો એ કાળ દરમિયાન જાગીને બગડેલી બાજીને સુધારી શકત, રંતુ એમની આસક્તિ અતિરેક પર પહોંચી હોવાથી એને માટેની શક્યતા ઘણી ઓછી હતી. અંતકાળે પરમાત્માનું ચિંતન, મનન ને નિદિધ્યાસન કરવાને બદલે એમનું મન મૃગશાવકનું જ ચિંતન, મનન ને નિદિધ્યાસન કરવા લાગ્યું. એ અવસ્થામાં એમનું શરીર છૂટી ગયું. એમનો આત્મારૂપી હંસલો શરીરના પંચમહાભૂતાત્મક પીંજરને છોડીને ઊડી ગયો. પરિમામે બીજું શું થાય ? જેવી જેની ભાવના તેવી તેની સિદ્ધિ.

એ ન્યાયને અનુસરીને અંતકાળે એમની વૃત્તિ મૃગની અંદર રહી હોવાથી એમને પુનર્જન્મ લેવો પડ્યો ને મૃગની યોનિ પ્રાપ્ત થઇ. પરંતુ એ યોનિમાં પણ એમને પૂર્વે કરેલી ઉપાસનાના પ્રભાવથી જન્માંતરની સંસ્મૃતિ કાયમ રહી. એ સંસ્મૃતિને લીધે એમના ચિત્તમાં ઉદ્વેગ થવા લાગ્યો. સમસ્ત સંગનો પરિત્યાગ કરીને એકાંત અરણ્યનો આશ્રય લઇને દિવસો સુધી એકધારી આરાધના કર્યા પછી પણ યોગભ્રષ્ટ થવું પડ્યું. એથી એમને અતિશય દુઃખ થયું.

મૃગશરીરમાં રહેલા ભરત મુનિ પૂર્વસંસ્કારોના સંતાપકારક સ્મરણથી પોતાના જન્મસ્થાન કાલંજર પર્વતમાંથી પાછા ગંડકી તટવર્તી હરિક્ષેત્રમાં પુલહ આશ્રમમાં જઇ પહોંચ્યા. હવે એ અસંગ રહેવા લાગ્યા. છેવટે મૃત્યુનો સમય સમીપ આવતાં સરિતાના પવિત્ર પ્રવાહમાં ઊભા રહીને એમણે એ શરીરનો પરિત્યાગ કર્યો. ભાગવતના પાંચમા સ્કંધના આઠમા અધ્યાયના અંતભાગમાં કહ્યું છે--

मृगशरीरं तीर्थोदकविन्नमुत्सर्ज ।

ભાગવતના રચયિતા ભરતના આશ્ચર્યકારક ઉદાહરણ પરથી એ સૂચવવા માગે છે કે જીવનની પરંપરા જ્યાં સુધી એના મૂળભૂત પ્રયોજનની પૂર્તિ ના થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે છે. એ પરંપરાની પાછળ વાસના તથા લાલસા અથવા અહંતા અને મમતા મોટો ભાગ ભજવે છે. એના પરિણામે પેદા થયેલા સંસ્કારો જ એનો નિશ્ચય કરે છે ને ઘાટ ઘડે છે. એ ઘાટ માનવશરીરનો પણ હોઇ શકે ને બીજા મનુષ્યેતર શરીરનો પણ હોઇ શકે. મનુષ્યયોનિની પ્રાપ્તિ થયા પછી બીજી યોનિમાં પણ મનુષ્યશરીર જ સાંપડશે એવું નિશ્ચયાત્મક રીતે ના કહી શકાય. શરીર છોડતી વખતે જે ભાવના કે વાસના હોય તે મહત્વનો ભાગ ભજવે છે.

ભગવાન ઋષભદેવ ( શ્રી આદીનાથ દાદા )


ભગવાન ઋષભદેવ  (શ્રી આદીનાથ દાદા )

ઋષભદેવને ભગવાનના ચોવીસ અવતારોમાંના એક માનવામાં આવે છે. તે મહારાજા નાભિના સુપુત્ર હતા. તેમણે ગુરુકુળમાં વાસ કર્યા પછી ગુરુના આદેશાનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાનું પસંદ કર્યું. એમણે આદર્શ ગૃહસ્થાશ્રમનો આશ્રય લઇને ઉત્તમ પ્રકારનાં અસંખ્ય કર્મોનું અનુષ્ઠાન કર્યું. એકવાર એમણે બ્રહ્માવર્ત નામના દેશમાં મહર્ષિઓની સભામાં પોતાના સુપુત્રોને અને અન્ય અસંખ્ય મનુષ્યોને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ એમની ઉદાત્ત દૃષ્ટિને સારી પેઠે રજૂ કરે છે. એ સુંદર સારગર્ભિત સદુપદેશની કેટલીક કંડિકાઓ આ રહી :

महत्सेवां द्वारमाहुर्विमुक्तेस्तमोद्वारं योषितां संगिसंगम् ।
महान्तस्ते समचित्ताः प्रशान्ता विमन्यवः सुहृदः साधवो ये ॥ (અધ્યાય પ, શ્લોક ર)

 भगवान ऋषभदेव  :
भगवान विष्णु ने ऋषभदेव के रूप में आठवांं अवतार लिया। धर्म ग्रंथों के अनुसार महाराज नाभि की कोई संतान नहीं थी। इस कारण उन्होंने अपनी धर्मपत्नी मेरुदेवी के साथ पुत्र की कामना से यज्ञ किया। यज्ञ से प्रसन्न होकर भगवान विष्णु स्वयं प्रकट हुए और उन्होंने महाराज नाभि को वरदान दिया कि मैं ही तुम्हारे यहां पुत्र रूप में जन्म लूंगा।

वरदान स्वरूप कुछ समय बाद भगवान विष्णु महाराज नाभि के यहां पुत्र रूप में जन्मे। पुत्र के अत्यंत सुंदर सुगठित शरीर, कीर्ति, तेल, बल, ऐश्वर्य, यश, पराक्रम और शूरवीरता आदि गुणों को देखकर महाराज नाभि ने उसका नाम ऋषभ (श्रेष्ठ) रखा।


‘મહાપુરુષોની સેવા તથા સંગતિને મુક્તિનું મંગલમય દ્વાર માનવામાં આવ્યું છે અને વિષયીજનોનો સંગ અધઃપતનનું મુખ્ય કારણ છે. જે સર્વત્ર સમચિત્તવાળા, પ્રશાંત, ક્રોધરહિત, ઉત્તમ હૃદયવાળા તથા સદાચારી હોય તેમને મહાપુરુષો માની લેવાં અને એવા પવિત્ર પુરુષોનો જ સંગ કરવો. વિષયીજનોના સંસર્ગથી દૂર રહેવું.’

‘જ્યાં સુધી મારામાં અથવા વાસુદેવમાં પ્રીતિ કે શ્રદ્ધાભક્તિ નથી થતી ત્યાં સુધી દેહના સંબંધથી અથવા દેહાધ્યાસથી મુક્તિ નથી મળતી.’

‘જે મૃત્યુરૂપ સંસારચક્રમાંથી છોડાવી ના શકે કે અમૃતમય ના બનાવી શકે તે ગુરુ સાચા અર્થમાં ગુરુ નથી, તે સ્વજન સ્વજન નથી, માતા-પિતા માતાપિતા નથી, તે દેવ દેવ નથી અને તે પતિ સાચા અર્થમાં પતિ ના કહી શકાય.’

ઋષભદેવે પોતાના સૌથી મોટા સુપુત્ર ભરતનો રાજ્યાભિષેક કરીને દિગંબરરૂપે બ્રહ્માવર્ત દેશમાંથી પરમહંસ દશામાં પ્રયાણ કર્યું. એમને દિગંબર અવસ્થામાં રહેનારા પરમહંસોની પરંપરાના પુરસ્કર્તા કહી શકાય. માણસ બાહ્ય રીતે દિગંબર બને કે ના બને તોપણ એણે આત્મજ્ઞાનનો આધાર લઇને દેહાધ્યાસમાંથી મુક્તિ મેળવવી જોઇએ એ ખાસ યાદ રાખવાનું છે. જીવનનું સાચું કલ્યાણ એમાં જ રહેલું છે.

ભગવાન ઋષભદેવ અવધૂતવેશમાં વિચરતા દક્ષિણ કર્ણાટક પ્રદેશમાં પહોંચી ગયા. ત્યાં એકાએક જાગેલા દાવાનલે એમના શરીરને ભસ્મિભૂત કરી નાખ્યું.


મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક

|| મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક  ||

પોષ વદિ તેરસની મેરુ પૂજનની તિથિ. (સંજ્ઞા.)
પોષ વદિ તેરસ. તે દિવસે રત્ન કે ધીનો મેરુ કરી તેનું પૂજન કરાય છે.

ભરત ક્ષેત્રમાં વ્યાપેલા અધર્મના અંધકારને ખતમ કરવા પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીનો જન્મ – ફાગણ વદ આઠમ ના રોજ અયોધ્યામાં થયો. ભરત ક્ષેત્રની ઇશ્વાકુ ભૂમિમાં નાભિરાજા કુલકર પિતા અને મરુદેવા માતાને ત્યાં પ્રભુનો જીવન વિકાસ શરૂ થયો.

આ સમય યુગલિક કાળ કહેવાતો, કલ્પવૃક્ષની મદદથી ઇચ્છાપૂર્વક જીવન નિર્વાહ થતો.

ભગવાન ઋષભદેવ  (શ્રી આદીનાથ દાદા )
 ભગવાન આદિનાથનો મહિમા અપરંપાર છે. જૈનોના તિર્થાધિરાજ શત્રુંજય તીર્થમાં મૂળનાયક તરીકે ભગવાન બિરાજે છે. પ્રભુને ભરત – બાહુબલિ આદિ સો પુત્રો હતા. તેમાં ભરત મહારાજા પ્રથમ ચક્રવર્તી રાજા થઈ ગયા.

ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે જૈન – જૈનેતર પ્રજામાં પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે જૈનોના તીર્થંકર ભગવાન ઋષભદેવના જીવનની ઘટના સંકળાયેલી છે અને તે રીતે કરોડો – અસંખ્ય વર્ષોથી આ પર્વનો મહિમા જૈન દર્શનમાં ખૂબ વખણાયેલો છે.

ભગવાન ઋષભદેવનું જન્મકલ્યાણક હોવાને લીધે આજનો દિવસ કલ્યાણક તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે ફાગણ વદ આઠમની તિથિને જૈનો પ્રભુના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક તરીકે ઉજવે છે. પ્રભુના દીક્ષા કલ્યાણકનો એટલે કે ઋષભદેવ પ્રભુએ ફાગણ વદ આઠમે દીક્ષા લીધી તેની પાછળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. જેનું વર્ણન પર્યુષણમાં વંચાય છે, કલ્પસૂત્રમાં અદ્ભુત રીતે જોવા મળે છે. જૈનોના તીર્થંકરો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન સાથે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે પ્રભુની માતાને ચૌદ સ્વપ્નો આવે છે.

જૈનોના તીર્થંકરો દીક્ષાના દિવસ પહેલા એક વર્ષ સતત રોજ વરસીદાન કરે છે તે માટે લોકાંતિક દેવો ઋષભ દીક્ષાના અવસરની યાદ આપી એક વર્ષ સુધી વરસીદાનની વિનંતી કરે છે. ઋષભકુમારે એક વર્ષમાં ૩૮૮ કરોડ સોનૈયાનું દાન કર્યું. પ્રથમ ઋષભકુમારને ક્ષીર સમુદ્રના પાણીથી એક હજાર કળશોથી અભિષેક કરી સ્નાન કરાવ્યું પછી ચંદન વગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવ્યું.

ફાગણ વદ આઠમના દિવસે ઋષભ રાજકુમારે જૈન વિધિ પ્રમાણે સ્વયં ચાર મૂઠીથી કેશ ઉખેડી લોચ કરી દીક્ષા લીધી. પાંચમી મૂઠીથી લોચ કરવા જાય છે ત્યારે ઇંદ્રે સુંદર દેખાતી વાળની લટોનો લોચ ન કરવા વિનંતી કરી તેથી બન્ને બાજુએ લટકતી બે લટોનો લોચ કર્યા વિના પ્રભુએ બે લટ એમ જ રહેવા દીધી.

ફાગણ વદ આઠમે દીક્ષા લીધા પછી શ્રી ઋષભદેવ પ્રભુ ગોચરી માટે વિહરવા લાગ્યા. એ સમયે યુગલિયા લોકો સુખી-સમૃદ્ધ હતા, લોકોને ભિક્ષાચાર અંગે કોઈ ખ્યાલ ન હતો એટલે લોકો પ્રભુને ભિક્ષામાં હીરા, માણેક, રત્ન, સુંદર કન્યાઓ વગેરે આપવા લાગ્યા, પણ ભગવાનને નિર્દોષ આહારની જરૂર છે એમ કોઈ જાણતું કે માનતું નહિ. આમ ગોચરી માટે નિર્દોષ આહાર માટે વિહરતા વિહરતા પ્રભુ હસ્તીનાપુર તરફ ગયા. હસ્તીનાપુર રાજા બાહુબલીના પુત્ર સોમપ્રભ હતા. તેમના પુત્ર રાજકુમાર શ્રેયાંસકુમારને, રાજા સોમપ્રભને અને નગર શેઠ સુબુદ્ધિને સુંદર સ્વપ્ન આવ્યાં.

જેમાં શ્રેયાંસકુમારને અમૂલ્ય લાભ થશે એવો સંકેત દરેકને સ્વપ્નમાં જોવા મળ્યો. પ્રભુ ઋષભદેવને દીક્ષા લીધા પછી ગોચરી માટે નિર્દોષ આહાર મેળવવા વિચરતા વિચરતા ૧૩ માસનો સમય વીતી ગયો.

એ જ વખતે એક માણસે શેરડીના રસના ઘડા શ્રેયાંસકુમારને ભેટ ધર્યા અને એક ઘડો લઈ શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આ નિર્દોષ પ્રાસુક રસ વાપરો. પ્રભુએ પણ પોતાના હાથ પ્રસાર્યા અને શ્રેયાંસકુમારે એક પછી એક તમામ ઘડાનો રસ રેડી દીધો. આ પ્રમાણે ૧૩ માસ પછી વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે કર્યું. લોકોએ આનંદથી આ પ્રસંગ વધાવી લીધો. દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યાં અને શ્રેયાંસકુમારે લોકોને પોતાનો ભગવાન સાથેનો આઠ ભવનો સંબંધ કહ્યો.

પ્રભુના ૧૩ માસના વર્ષીતપના અનુકરણ અનુમોદન માટે આજે પણ જૈન તપસ્વી આરાધકો ગુજરાતી ફાગણ વદ આઠમથી એક ઉપવાસ એક બેસણું, એક ઉપવાસ એક બેસણું એમ આખા વર્ષ દરમિયાન વર્ષીતપની આરાધના કરી અખાત્રીજના દિવસે જિન મંદિરમાં આદીનાથ ભગવાનને શેરડીના રસથી પ્રક્ષાલ પૂજા આદિ વિધિવિધાન કરવાપૂર્વ શેરડીના રસથી પારણું કરી આખાત્રીજની આરાધના ઊજવે છે.

શ્રી ઋષભદેવ પ્રભુ ૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા, ૬૩ લાખ પૂર્વ રાજ્યવસ્થામાં રહ્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહાસ્થાવસ્થામાં રહ્યા, એક હજાર વર્ષ સાધના કાળમાં કેવલજ્ઞાન વિના છદ્મસ્થ પર્યાયમાં રહ્યા, બાકીના શેષ લગભગ એક લાખ પૂર્વે કેવલી અવસ્થામાં વિચરી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા. મોક્ષે સિધાવ્યા. એક પૂર્વ એટલે ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ વર્ષ થાય (૭૦ હજાર ૫૬૦ અબજ વર્ષ). આમ ભગવાન ઋષભદેવે જીવ માત્ર માટે શાશ્વત સુખનો સંદેશો આપ્યો.

આજે એ વાતને કરોડોથી પણ વધુ વર્ષ થઈ ગયા છે, પણ એ સંદેશો હજીય પૃથ્વીને પાવન કરી રહ્યો છે. પ્રભુ પોષ વદ તેરસના રોજ બાકીનું આયુષ્ય કેવલી અવસ્થામાં પૂર્ણ કરી અષ્ટાપદ પર્વતના શિખર ઉપર નિર્વાણ પામ્યા. ત્યારથી મેરુ તેરસ તરીકે પ્રભુ આદિનાથની આરાધનાપૂર્વક જૈનો પર્વ માને છે.

પ્રભુ આદિનાથની સ્તુતિનો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે બનાવેલા શ્લોક જૈનોમાં ખૂબ પ્રસિદ્ધ છે.

આદિમં પૃથ્વીનાથાય આદિમં નિષ્પરિગ્રહમ્
આદિમં તીર્થનાથં ચ, ઋષભ સ્વામિનં સ્તુમઃ

આ યુગના સૌ પ્રથમ રાજા, સૌ પ્રથમ સાધુ, નિગ્રંથ સૌપ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ સ્વામીને હું સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરું છે.

|| મેરુ તેરસ – પોષ વદ ૧૩ આદિનાથ પ્રભુ નિર્વાણ કલ્યાણક – અભિજિત નક્ષત્રે ||

૫૦૦ ધનુષ્ય એટલે કે ૩૦૦૦ ફૂટ ની ઉંચાઈ વાળા ૧૦૮ જીવ ૧ સાથે , ૧ સમયે ક્યારેય મોક્ષે ના જાય
પણ આ વર્તમાન ચોવીસી ના પહેલા અછેરા (અપવાદ રૂપ દુર્લભ ઘટના ),માં
શ્રી આદીનાથ દાદા
એમના ૯૯ પુત્રો
અને ૮ પોઉંત્રો (ભરત ચક્રવર્તી ના પુત્રો) સહીત ૧૦૮ પૂન્યત્માઓ એકી સાથે,
૧ માત્ર કલ્યાણક ની ભૂમિ શ્રી અષ્ટાંપદજી થી મોક્ષે સિધાવ્યા
ત્યાર બાદ શ્રી ઇન્દ્ર દેવ એ ૩ ચિતા બનાવરાવી
૧ દાદા ની
૧ દાદા ના ગણધર ભગવંતો ની
અને ૧ બાકીના સાધુઓ ની.
પ્રભુ ના અવસાન બાદ શ્રી ભરત ચક્રવર્તી અવાચક અને ઉદાસ થઇ ગયા ત્યારે
ઇન્દ્ર દેવ એ વિશિષ્ટ હાવ ભાવ કરી ભરત ચક્રવર્તી ને રડતા શિખવાડ્યું
ત્યાર થી લોકો માં મૃત્યુ પાછળ રડવા ની પ્રથા શરુ થઇ

=========================================

ઋષભ નિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્‌યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત… ઋષભ૦ ૧

પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગઈ ન કોય;
પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય… ઋષભ૦ ૨

કોઈ કંત કરણ કાષ્ઠ [૧] ભક્ષણ કરે રે, મિલ શું કંત ને ધાય;
એ મેળો નવિ કહિયે [૨] સંભવે રે, મેળો ઠામ ન ઠાય… ઋષભ૦ ૩

કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રમ્જન ધાતુ [૩] મિલાપ… ઋષભ૦ ૪

કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
દોષ રહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ… ઋષભ૦ ૫

ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટ રહિત થઈ આતમ અરપણા રે, “આનંદધન” પદ એહ… ઋષભ૦ ૬

==========================================

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. તેર
(2) જન્મ અને દિક્ષા વિનિતા નગરીમાં થયા.
(3) તીર્થંકર નામકર્મ..વજ્રનાભ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ -સર્વાર્થ સિદ્ધ વિમાન માં.
(5) ચ્યવન કલ્યાણક – જેઠ વદ-૪ ઉત્તરાષાઢા નક્ષત્ર માં.
(6) માતા નું નામ -મરૂદેવી માતા અને પિતાનું નામ – નાભિરાજા.
(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ- નવમાસ અને આઠ દિવસ.
(9) લંછન – વૃષભ અને વર્ણ સુવર્ણ .
(10) જન્મ કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ – ૫૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા – ૪૦૦૦ રાજકુમાર સાથે દિક્ષા લીધી.
(14) દિક્ષા શીબીકા- સુદર્શના અને દિક્ષાતપ છઠ્ઠ .
(15) પ્રથમ પારણુંનું સ્થાન-ગજપુર અને પારણું શ્રેયાંસકુમારે ઇક્ષુરસ થી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા માં ૧૦૦૦ વર્ષ રહ્યા.
(17) કેવલજ્ઞાન કલ્યાણક-તપઅઠ્ઠમ અને વટવ્રુક્ષ નીચે પુરિમતાલ નગરી માં મહાવદ-૧૧, ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(18) શાશન દેવ -ગોમુખયક્ષ અને શાશનદેવી -ચક્કેશ્વરીદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ ત્રણ ગાઉ.
(20)પ્રથમ દેશના નો વિષય યતિધર્મ અને શ્રાવકધર્મ.
(21) સાધુ- ૮૪૦૦૦ અને સાધ્વી બ્રાહ્મી આદિ-૩૦૦,૦૦૦ ની સંખ્યા હતી.
(22) શ્રાવક -૩૫૦,૦૦૦ અને શ્રાવિકા ૫૫૪,૦૦૦ ની સંખ્યા હતી.
(23) કેવળજ્ઞાની- ૨૦૦૦૦, મન:પર્યાવજ્ઞાની- ૧૨૭૫૦ અને અવધિજ્ઞાની -૯૦૦૦ .
(24) ચૌદપૂર્વધર-૪૭૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૨૦૬૦૦ તથા વાદી -૧૨૬૫૦ .
(25) આયુષ્ય – ૮૪ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક – પોષવદ -૧૩- અભિજિત નક્ષત્રે.
(27) મોક્ષ-અષ્ટાપદપર, મોક્ષતપ-૬ ઉપવાસ અને મોક્ષાસન-પદ્માસન.
(28) મોક્ષ – ૧૦૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર – પુન્ડરિક આદિ- ૮૪.
(30) શ્રી અજિતનાથ પ્રભુ નું અંતર – ૫૦ લાખ કરોડ સાગરોપમ.



 ભગવાન ઋષભદેવ  (શ્રી આદીનાથ દાદા )


Below are the details of the present 24 Tirthankars in the Bharatkshetra of Jambudweep.


1. Shri Rishabdev (Adinath)

Heaven before Birth :Sarvarthasiddha
Father :King Nabhi
Mother :Marudevi
Birthplace :Vinittanagari, Palitana
Complexion :Golden
Symbol :Ox / Bull
Height :500 Dhanusha
Age :8,400,000 Purva
Diksha Tree :Vata (Banyan)
Yaksha :Gomukha
Yakshini :Chakresvari
Place of Nirvana :Ashtapad

Kalyanaks

Chyavan :Jeth Vad 4
Janma :Fagan Vad 8
Diksha :Fagan Vad 8
Keval Gyan :Maha Vad 11
Moksha :Posh Vad 13

Mystery behind the name

He had a sign of an ox on his thigh. The mother Marudeva saw 14 dreams, of which the first was that of an ox. He started the religion after a time span of 18 koda Kodi Sagaropam (Sagaropam itself is almost an innumerable number, therefore 18 KodaKodi sagaropam is a countless number). Therefore, he was also known as Ādinath (The first one).
चौबीस तीर्थंकर और उनके चिह्न
कैसे होती हैं तीर्थंकरों की पहचान

जैन धर्म में कुल 24 तीर्थंकर हुए हैं। सभी तीर्थंकरों की पहचान उनके अलग-अलग चिह्नों द्वारा होती है। ये पहचान चिह्न निम्नानुसार हैं : -
1. श्री ऋषभनाथ- बैल,
2. श्री अजितनाथ- हाथी,
3. श्री संभवनाथ- अश्व (घोड़ा),
4. श्री अभिनंदननाथ- बंदर,
5. श्री सुमतिनाथ- चकवा,
6. श्री पद्मप्रभ- कमल,
7. श्री सुपार्श्वनाथ- साथिया (स्वस्तिक),
8. श्री चन्द्रप्रभ- चन्द्रमा, 9. श्री पुष्पदंत- मगर,
10. श्री शीतलनाथ- कल्पवृक्ष,
11. श्री श्रेयांसनाथ- गैंडा,
12. श्री वासुपूज्य- भैंसा,
13. श्री विमलनाथ- शूकर,
14. श्री अनंतनाथ- सेही,
15. श्री धर्मनाथ- वज्रदंड,
16. श्री शांतिनाथ- मृग (हिरण), 17. श्री कुंथुनाथ- बकरा,
18. श्री अरहनाथ- मछली,
19. श्री मल्लिनाथ- कलश,
20. श्री मुनिस्रुव्रतनाथ- कच्छप (कछुआ) ,
21. श्री नमिनाथ- नीलकमल,
22. श्री नेमिनाथ- शंख,
23. श्री पार्श्वनाथ- सर्प
24. श्री महावीर- सिंह।

------------------------------------------------------------

24 तीर्थंकर भगवानों के वैराग्य प्रसंग

स्वयं पढ़े और दूसरों को भी पढ़वाए
२४ तीर्थंकर भगवानों के वैराग्य प्रसंग
१) श्री ऋषभनाथ जी – नीलांजना की मृत्यु।
२) श्री अजितनाथ जी – बिजली चमकने से।
३) श्री सम्भवनाथ जी – मेघ देखने से।
४) श्री अभिनन्दन नाथ जी – मेघों का विघटन।
५) श्री सुमतिनाथ जी – जाति स्मरण।
६) श्री पदमप्रभु नाथ जी – जाति स्मरण।
७) श्री सुपार्श्व नाथ जी – जाति स्मरण।
८) श्री चन्द्रप्रभु नाथ जी – दर्पण।
९) श्री पुष्पदन्त नाथ जी – उल्कापात से।
१०) श्री शीतलनाथ जी – हिमनाश से।
११) श्री श्रेयांसनाथ जी – पतझड़ से।
१२) श्री वासुपूज्य नाथ जी – जाति स्मरण।
१३) श्री विमलनाथ जी – ओस विघटन।
१४) श्री अनन्तनाथ जी – उल्कापात से।
१५) श्री धर्मनाथ जी – उल्कापात से।
१६) श्री शांतिनाथ जी – जाति स्मरण (दर्पण)।
१७) श्री कुन्थुनाथ जी – जाति स्मरण।
१८) श्री अरहनाथ जी – मेघ फटने से।
१९) श्री मल्लिनाथ जी – ताड़ित।
२०) श्री मुनिसुव्रतनाथ जी – जाति स्मरण।
२१) श्री नमिनाथ जी – जाति स्मरण।
२२) श्री नेमिनाथ जी – पशुओं का क्रन्दन।
२३) श्री पार्श्वनाथ जी – जाति स्मरण।
२४) श्री महावीर स्वामी जी – जाति स्मरण।

-------------------------------------------------------------------------



जैन धर्म एवं जैन धर्म के चौबीस तीर्थंकार Jain Dharma Jain Tirthankar

जैन धर्म एवं जैन धर्म के चौबीस तीर्थंकर

जैन धर्म (Jain Religion)

 जो 'जिन' के अनुयायी हों उन्हें 'जैन' कहते हैं । 'जिन' शब्द बना है 'जि' धातु से। 'जि' माने-जीतना। 'जिन' माने जीतने वाला। जिन्होंने अपने मन को जीत लिया, अपनी वाणी को जीत लिया और अपनी काया को जीत लिया, वे हैं 'जिन'। जैन धर्म अर्थात 'जिन' भगवान्‌ का धर्म।
व्यक्ति जाति या धर्म से नहीं अपितु, आचरण एवं व्यवहार से जैन कहलाता है। जैन स्वयं को अनर्थ हिंसा से बचाता है। जैन सदा सत्य का समर्थन करता है। जैन न्याय के मूल्य को समझता है। जैन संस्कृति और संस्कारों को जीता है। जैन भाग्य को पुरुषार्थ में बदल देता है। जैन अनाग्रही और अल्प परिग्रही होता है। जैन पर्यावरण सुरक्षा में जागरुक रहता है। जैन त्याग-प्रत्याख्यान में विश्वास रखता है। जैन खुद को ही सुख-दःख का कर्ता मानता है।  
जैन धर्म के चौबीस तीर्थंकर 
क्र
तीर्थंकार
जन्म नगरी
जन्म नक्षत्र
माता का नाम
पिता का नाम
वैराग्य वृक्ष
चिह्न
1
ऋषभदेवजी
अयोध्या
उत्तराषाढ़ा
मरूदेवी
नाभिराजा
वट वृक्ष
बैल
2
अजितनाथजी
अयोध्या
रोहिणी
विजया
जितशत्रु
सर्पपर्ण वृक्ष
हाथी
3
सम्भवनाथजी
श्रावस्ती
पूर्वाषाढ़ा
सेना
जितारी
शाल वृक्ष
घोड़ा
4
अभिनन्दनजी
अयोध्या
पुनर्वसु
सिद्धार्था
संवर
देवदार वृक्ष
बन्दर
5
सुमतिनाथजी
अयोध्या
मद्या
सुमंगला
मेधप्रय
प्रियंगु वृक्ष
चकवा
6
पद्मप्रभुजी
कौशाम्बीपुरी
चित्रा
सुसीमा
धरण
प्रियंगु वृक्ष
कमल
7
सुपार्श्वनाथजी
काशीनगरी
विशाखा
पृथ्वी
सुप्रतिष्ठ
शिरीष वृक्ष
साथिया
8
चन्द्रप्रभुजी
चंद्रपुरी
अनुराधा
लक्ष्मण
महासेन
नाग वृक्ष
चन्द्रमा
9
पुष्पदन्तजी
काकन्दी
मूल
रामा
सुग्रीव
साल वृक्ष
मगर
10
शीतलनाथजी
भद्रिकापुरी
पूर्वाषाढ़ा
सुनन्दा
दृढ़रथ
प्लक्ष वृक्ष
कल्पवृक्ष
11
श्रेयान्सनाथजी
सिंहपुरी
वण
विष्णु
विष्णुराज
तेंदुका वृक्ष
गेंडा
12
वासुपुज्यजी
चम्पापुरी
शतभिषा
जपा
वासुपुज्य
पाटला वृक्ष
भैंसा
13
विमलनाथजी
काम्पिल्य
उत्तराभाद्रपद
शमी
कृतवर्मा
जम्बू वृक्ष
शूकर
14
अनन्तनाथजी
विनीता
रेवती
सूर्वशया
सिंहसेन
पीपल वृक्ष
सेही
15
धर्मनाथजी
रत्नपुरी
पुष्य
सुव्रता
भानुराजा
दधिपर्ण वृक्ष
वज्रदण्ड
16
शांतिनाथजी
हस्तिनापुर
भरणी
ऐराणी
विश्वसेन
नन्द वृक्ष
हिरण
17
कुन्थुनाथजी
हस्तिनापुर
कृत्तिका
श्रीदेवी
सूर्य
तिलक वृक्ष
बकरा
18
अरहनाथजी
हस्तिनापुर
रोहिणी
मिया
सुदर्शन
आम्र वृक्ष
मछली
19
मल्लिनाथजी
मिथिला
अश्विनी
रक्षिता
कुम्प
कुम्पअशोक वृक्ष
कलश
20
मुनिसुव्रतनाथजी
कुशाक्रनगर
श्रवण
पद्मावती
सुमित्र
चम्पक वृक्ष
कछुवा
21
नमिनाथजी
मिथिला
अश्विनी
वप्रा
विजय
वकुल वृक्ष
नीलकमल
22
नेमिनाथजी
शोरिपुर
चित्रा
शिवा
समुद्रविजय
मेषश्रृंग वृक्ष
शंख
23
पार्श्र्वनाथजी
वाराणसी
विशाखा
वामादेवी
अश्वसेन
घव वृक्ष
सर्प
24
महावीरजी
कुंडलपुर
उत्तराफाल्गुनी
त्रिशाला
(
प्रियकारिणी)
सिद्धार्थ
साल वृक्ष
सिंह

શ્રી ઋષભ કથા (ભાગ પ્રથમ) જન્મ કલ્યાણક


ઇન્દ્રો દ્વારા પ્રભુનો જન્મોત્સવ

અહીં પ્રારંભ થાય છે ઋષભદેવ પ્રભુની કથા "ઋષભ કથા"


જગતના આદિ પુરુષની કથા,


સૌ પ્રથમ રાજાની કથા,
સૌ પ્રથમ ઋષિની કથા,
અવસર્પિણીના સૌ પ્રથમ તીર્થંકરની કથા,
"ઋષભ કથા"
આદિનાથ,રીખવદેવ,ઋષભદેવ,યુગદીદેવની કથા,

વિશ્વ આખું જયારે અંધાધુંધી ભર્યા વળાંક ઉપર ઉભું હતું,
અવસર્પિણીનો ત્રીજો આરો હતો,
કલ્પવૃક્ષો પણ મંદ પડી ગયા હતા,
યુગલીકોનો સંપ ઓછો થયો  હતો,
એવે વખતે પરમ તેજથી દૈદીપ્યમાન એક દિવ્ય આકૃતિનું અવતરણ આ પૃથ્વીલોક પર થયું હતું,
જેમણે યુગલીક  ધર્મનું નિવારણ કર્યું,
જેમણે રાહ બતાવી,અને
એ રાહ ઉપર આપણને પગ ભર કર્યા,
કરોડો વર્ષ પહેલાનો આ ઈતિહાસ છે, એક જીવંત કથા છે, "ઋષભ કથા"
ઋષભદેવ પ્રભુ ન પ્રગટ્યા હોત તો ધર્મ અને કર્મની ખબર ન હોત,
રાજગાદી અને ધર્મગાદી  ઉપર જેઓ સ્વયં બિરાજમાન થયા હતા,
વ્યવહાર પથ અને મુક્તિ પથ એમ બન્ને પથના જેઓ સ્વયં મુસાફિર બન્યા હતા,
જયારે આપણે આપણા જ પોતાના જ કેદી બનીને નિગોદમાં સબડી રહ્યા હતા,
ત્યારે જેમણે હાથ જાલીને બહાર કાઢ્યા હતા એ ઈશ્વરની આ કથા છે "ઋષભ કથા"
આ એક એવી કથા છે જેમાં કલ્પનાના રંગો નથી,
જે સાક્ષાત છે,જે જીવંત છે,
એવા ઋષભ પરમાત્માની આ કથા છે,
જેમના આગમનથી પિતા નાભીરાયાનું હ્રદય પાવન બન્યું હતું,
જેમના અવતરણથી માતા મરૂદેવાનું અંત:કરણ ઘેલું ઘેલું બન્યું હતું,
એ માતાએ એક નહીં બે નહીં પણ ચૌદ-ચૌદ મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા,

કેવી મહા-ભાગ્યશાળીએ માતા હશે! જેના ઉદરમાં પ્રભુના નામનો સુરજ ઉગ્યો,
એના ભીતરમા પ્રભુના નામનો ચાંદ ખીલ્યો,
એના રોમ-રોમમાં પ્રભુના નામના પાંદ ફૂટ્યા,
દેહના તાર રણઝણવા લાગ્યા,જાણે કહેવા લાગ્યા,          
જગત આખાને છતર-છાયા આપનારા પ્રભુ મારી કુખે અવતરશે,
હું કેવી પુણ્ય પનોતી! હું કેવી ભાગ્યશાળી!
દરેક વૈભવ મને આ ભવમાં મળી ગયો!

માતાનો હર્ષ વધવા લાગ્યો,ગર્ભના પ્રભાવથી કલ્પવૃક્ષો પ્રભાવશાળી બન્યા,
નદીના નીર વધ્યા,ચન્દ્રની ચાંદની વધી,સુરજનું તેજ વધ્યું,
પૃથ્વીના ધાન વધ્યા,પવનની ગતિ વધી,ફૂલોની સુગંધ વધી,
વાદળમાં વરસાદ બંધાયો,તડકો ઘટ્યો અને છાંયો વધ્યો,
તાપ ઘટ્યો અને ઠંડક વધી,

મંદ-મંદ ગતિએ સંચરતી માતાએ સમયની અવધી પૂરી કરી,
ચૈતરની ઘાણ રાત થઇ,ગ્રહો શ્રેષ્ઠ નક્ષત્રોમાં રહ્યા,
ચન્દ્ર ઉત્રાશ્ચ્રા નક્ષત્રમાં હતો,દિશાઓ પ્રસન્ન હતી,
પ્રજાજનો ખુશ હતા,પશુઓ નિર્ભય હતા,
ધરતી શ્વાસ લેતી હતી,પવન એકલો એકલો રમ્યા કરતો હતો,
 રંગોની છોળ ઉછળતી હતી, ઠેર ઠેર રંગોળીઓ પુરાઈ હતી,
અને એવે વખતે મરૂદેવા માતાએ દુખ રહિત સુખ પૂર્વક,
આરોગ્ય પૂર્વક,આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો... જન્મ આપ્યો.... જન્મ આપ્યો...

દિક કુમારિકા આવી,સ્વયં ઇન્દ્ર મહારાજા પધાર્યા,
બાળ પ્રભુને મેરૂ પર્વત ઉપર લઇ ગયા,
અને દેવોએતો ધૂમ મચાવી,
પ્રભુ ને નવરાવવા હર્ષ ઘેલા બન્યા,રસ ઘેલા બન્યા,
પાતાળ કળશો જેવા મોટા કળશો બનાવ્યા,
સુગંધી જલ ભર્યું, અને
અચ્યુતેન્દ્ર એ બાળ ભગવાન ઋષભનો જન્માભિષેક કર્યો,
મેરૂ પર્વતના પગથીયા તો જળના પગથીયા બની ગયા,
વાજિંત્રો બોલી ઉઠ્યા,પર્વતો ડોલી ઉઠ્યા,
દૈવી સંગીતની મહેફિલ ઉઠી,

શોભા ન્યારી ન્યારી, શોભા ન્યારી...
શોભા ન્યારી છે જનમ કથા ની...

---------------------------------------------------------------------------------------------



શ્રી ઋષભ કથા (ભાગ દ્રિતીય) વિવાહ કલ્યાણક 


સુનંદા-સુમંગલા સાથે આદિનાથ પ્રભુનો વિવાહ 



દેવો સાથે રમતા રમતા પ્રભુએ બાલ્ય કાળ પસાર કર્યો,
પ્રભુ હવે યુવાન થયા, તેઓતો મોક્ષમાર્ગ ના સાધક હતા પણ લોક વ્યવહાર માટે અને ઇન્દ્રના કહેવાથી પ્રભુ લગ્ન માટે તૈયાર થયા.
દેવો ખુશ થયા,માતા-પિતા ખુશ થયા.
સુધર્મા સભા જેવો મોટો મંડપ રચાયો,
સુવર્ણ અને રજતની જોડીઓ બનાવાઈ,
શરણાઈના સુરો રેલાયા,
પ્રભુ મીંઢોળ બંધાવી વર બની શોભી રહ્યા હતા.
હાથમાં પાન અને સોપારી હતા,
સાથમાં સુનંદા અને સુમંગલા હતા,
ઋષભદેવ જેવા ભરથારને પામીને બાકી ની સ્ત્રીઓ સુનંદા અને સુમંગલાની ઈર્ષ્યા કરતી હતી,
પાનેતરમાં સજ્જ થયેલી સુનંદા અતિ આનંદમાં હતી,
મંગલ વસ્ત્રોથી તૈયાર થયેલી સુમંગલા અતિ મંગલ મંગલ દેખાતી હતી!
દેવોએ લાવેલા દિવ્ય વસ્ત્રોમાં જડેલા આભલા અને મઢેલા મોતીઓ પ્રભુની શોભા વધારતા હતા. સપ્તપદીના મંત્રો બોલતા હતા.
કુર્યાત સદા મંગલમનો ધ્વની પડઘાતો હતો અને એવે વખતે પ્રભુ નો હસ્ત મેળાપ થયો...

આ અવસર્પિણીના એ પ્રથમ લગ્ન હતા,
કરોડો વર્ષ પહેલા થયેલા એ લગ્નનો ધ્વની,
આજે હજુ એ જ પ્રમાણે ગુંજી રહ્યો છે....

વાગે શરણાઈ કેર સુર રે!

------------------------------------------------------------------


ભાગ તૃતીય (પ્રભુનો રાજ્યાભિષેક તથા દીક્ષા) 


પ્રભુનો રાજ્યાભિષેક

પ્રભુએ યુગલીક ધર્મનું નિવારણ કર્યું, યુગલીયાઓ ખુબ ભોળા હતા,
પણ કાળના પ્રભાવે કષાયો થવા લાગ્યા,
ધીરે ધીરે તેઓ નીતીને ઓળખવા લાગ્યા,
પરસ્પરનો સ્નેહ ઘટતો ગયો,
અને પિતા નાભી રાજાની આજ્ઞાથી પ્રભુ રાજા બનવા તૈયાર થયા,
ભોળા યુગલીયા ખુશ થયા,
રાજ્યાભિષેક કરવા કમળપત્ર લઇ જલ ભરવા ગયા,
એટલામાં જ ઇન્દ્રે આવી પ્રભુનો રાજ્યાભિષેક કરી દીધો,
યુગલીયા પાછા આવ્યા તો પ્રભુ દિવ્ય વસ્ત્રો અને અલંકારો પહેરી-
સુવર્ણના સિંહાસન પર બિરાજેલા હતા.

પ્રભુને જોતાની સાથે જ તેઓની આંખો સ્થિર થઇ ગયી,અને વિચારવા લાગ્યા,
હવે આ કમળપત્રમાં લાવેલું જળ પ્રભુના મસ્તક ઉપર તો ન જ નખાય,
આથી બાળક જેવા નિર્દોષ યુગલીયાઓએ પ્રભુનો મસ્તકાભિષેક કરવાને બદલે,
પ્રભુનો ચરણાભિષેક કરી દીધો, યુગલીકો વિનીત હતા,
આથી એ નગરી વિનીતાના નામે ઓળખાવા લાગી,
પ્રભુ રાજા બન્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં પસાર કર્યા,
પ્રજાનું પાલન કર્યું, સૌને સંસ્કાર આપ્યા,કળા શીખવી,જીવન જીવતા શીખવ્યું,
અને છેલ્લે લોકાંતિક દેવોએ આવીને વિનંતી કરી,
વૈરાગ્ય વાસિત પ્રભુ સાધનાના પંથે જવા તૈયાર થયા,

મરૂદેવા માની આંખમાં આંશુનું તળાવ ભર્યું છે,
રાજમહેલનું ફળિયું કરૂણ મંગલ કોલાહલવાળું બન્યું છે,
પ્રભુ વિદાય લેશે.
રાજ મહેલ છોડશે,
અંત:પુર છોડશે,
ગામ છોડશે,
નગર છોડશે,
સ્વજનો છોડશે,
પ્રજાજનો છોડશે,
સત્તા અને સંપતિ છોડશે,
વૈભવ છોડશે,
બંધનો છોડશે,
પ્રભુ ચાલ્યા જશે?  
આમ એકલા મૂકી દેશે?
પ્રભુના ચાલ્યા જવાની કલ્પના ધ્રુજાવી મુકે છે!

માતા આઘાતથી સ્તબ્ધ બની છે..
હજુ ગઈ કાલની જ વાત હોય એમ ઋષભને રાજતિલક કર્યું હતું,
અને આજે એ ત્રિભુવન તિલક બનવા જાય છે,
સુનંદા રડતી,સુમંગલા રડતી,
મરૂદેવા માતા રડતા,
ત્રણ-ત્રણ સ્ત્રીઓ એક ઋષભ માટે રડ્યા કરતી,ઝૂર્યા કરતી,ઝંખ્યા કરતી,
પણ પ્રભુએ સર્વસ્વ છોડી દીધું,


પ્રભુના હસ્તે વર્ષીદાન



વરસ લગી દાન આપ્યું,
છેલ્લે સુદર્શન શીબીકામાં બેસી સિદ્ધાર્થવન તરફ પ્રયાણ કર્યું,
પ્રભુ પ્રસન્ન હતા અને સ્વજનો ઉદાસ હતા,
પ્રભુની ડાબી તરફ ચાલતા ભરતની આંખો નહોતી રડતી.. હ્રદય રડતું હતું,
પ્રભુની જમણી તરફ ચાલતા બાહુબલીની આંખો નહોતી ભીંજાઈ...રોમ-રોમ ભીંજાઈ ગયા હતા,
પ્રભુએ સર્વનો ત્યાગ કર્યો અને સાવ્ત્થ યોગનું પચ્ચખાણ કર્યું,
સમ-સામ્રાજ્યમાં પ્રવેશ કર્યો,


ઇન્દ્ર મહારાજાની વિનંતીથી પ્રભુનો ચૌમુષ્ટિ લોચ


ઇન્દ્ર મહારાજાની વિંનતીથી ચઉ-મુષ્ટિ લોચ કર્યો,
દિવ્ય વાજિંત્રોથી સિદ્ધાર્થવન ગુંજી ઉઠ્યું,

અને પ્રભુએ ચૈતર વદી-૮ના શુભ દિવસે દીક્ષા લીધી,
પ્રથમ યતી બન્યા અને ગતિ અટકાવી દીધી,
આશિષની વર્ષા થઇ,સીવાસે પંથા નાશંતુ! 

-------------------------------------------------------------------------------


શ્રી ઋષભ કથા (ભાગ ચતુર્થ) પ્રભુનો વિહાર


પ્રભુનો નિત્ય વિહાર


ભગવાન ઋષભદેવ સાધુ બન્યા,સંત બન્યા,
અને બીજા ચાર હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી હતી,
પરમાત્માતો ત્યાગી હતા, ભવોભવના વૈરાગી હતા,તપસ્વી હતા,
પ્રભુ સાથે દીક્ષિત થયેલા રાજાઓ ક્ષુધા પરીસહને સહન ન કરી શક્યા,
અને એટલે જ પ્રભુથી છુટા પડી ગયા, ફળોને તોડીને ખાવા લાગ્યા,
પાંદડાઓના ચીર બનાવી પહેરવા લાગ્યા,
નદીનું વહેતું જળ પીવા લાગ્યા,
ઉતરણની શૈયા બનાવી સુવા લાગ્યા,
અને તેઓ તાપસ બની ગયા,

ત્રણ જગતના નાથતો એકલા એકલા વિહરવા લાગ્યા,
નમી અને વિનમી પ્રભુની સેવામાં રહ્યા,
પણ પ્રભુ મૌની હતા,ધ્યાન અને કાર્યોત્સર્ગમાં જ લીન રહેતા,
પ્રભુની સેવાથી નમી-વિનમીને સઘળી રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થઇ,


પ્રભુની સેવામાં નમી-વિનમી


પ્રભુને બધા જ વ્હાલા હતા,અને બધાને પ્રભુ વ્હાલા હતા,
બધા કહેતા પ્રભુ મ્હારા છે,
પંખીઓ મધુર કલરવ કરી કહેતા પ્રભુ મ્હારા છે,
પશુઓ પોતાની ભાષામાં કહેતા પ્રભુ મ્હારા છે,
ભમરાઓ ગુંજન કરી કહેતા પ્રભુ મ્હારા છે,
ઠંડી હવાની લહેરખીઓ પણ કહેતી પ્રભુ મ્હારા છે,

ઋષભ સંતના તો જ્યાં જ્યાં પગલા થતા,ત્યાં ભક્તો માટેતો વસંત ખીલતી,
ફૂલોના રંગ પણ પ્રભુને જોઇને લાલ થયા,ભક્તોતો પ્રભુને નીરખી-નીરખીને માલામાલ થયા,
પ્રભુ નિરીહ હતા,અપેક્ષા વિનાના હતા,
નિરપેક્ષ બની વિહાર કરતા પ્રભુએ આહાર અને પાણી વિનાના કેટલાય દિવસો પસાર કર્યાં,

--------------------------------------------------------------------------------



 ભાગ પંચમ (પ્રભુને ઇક્ષુરસથી પારણું)



શ્રેયાંસકુમાર દ્વારા પ્રભુને શેરડી રસનું પારણું


ઋષભ કથાના પંચમ ભાગ સ્વરૂપે અહીં પ્રસ્તુત છે પ્રભુનો પારણા ઉત્સવ..
નિહાળો અને માણો..

સાધનાના પથ પર વિહાર કરતા કરતા પાદચારી પ્રભુ,
ગામે-ગામે નગરે-નગરે પારણા માટે પધારતા,
પ્રભુ ને શું જોઈએ છે એ લોકો ને ખબર નથી,
પ્રભુને હજી બધા રાજા જ માનતા હતા,
ભિક્ષા દાનની કોઈને ખબર નહોતી,
ભિક્ષા વિના પણ પરમાત્મા પ્રસન્ન રહેતા.
પારણા માટે બારણે આવીને પાછા જતા

લોકો કહેતા
નાથ! દિવ્ય વસ્ત્રો લ્યો!
દિવ્ય પુષ્પમાળા લ્યો!
દિવ્ય આભૂષણોથી કૃતાર્થ કરો,
વાજિંત્રો સ્વીકારો,
અપ્સરાઓ લઇ અમને સફળ કરો.
પણ પ્રભુને કશું જ ખપ નહોતો.
કરુણાથી ભીના-ભીના બનેલા પ્રભુ બહારથી કોરા-કોરા રહીને પાછા જતા,
ને આભમાં વાદળ ન હોવા છતાં લોકોની આંખમાં ચોમાસું બેસતું,
૪૦૦-૪૦૦ દિવસો વહી ગયા.
ફરતા ફરતા પ્રભુ હસ્તિનાપુર નગરમાં શ્રેયાંશ કુમારના બારણાંમાં પારણા માટે આવી ઉભા.

વૈશાખનો ધોમ ધખતો તાપ દજાડતો હતો,
બળ-બળતી બપોર આગ વરસાવતી હતી,
ઘટ-ઘટમાં ઘર-ઘરમાં રગ-રગમાં ઉની ઉની લૂ વાતી હતી.
છતાય પ્રભુ પ્રસન્ન હતા,ખુશ હતા,અદીન હતા,આનંદિત હતા,

શ્રેયાંશે પ્રભુને દીઠા,પ્રભુ મીઠા લાગ્યા,
શ્રેયાંશ કુમારને પ્રભુ સાથે નવ ભવની પ્રીતિ હતી,
જુગ-જુગ જુનો એ પ્રેમ જાગ્રત થયો,
શ્રેયાંશે ત્યારે જ કો`ક ખેડૂતે લાવી મુકેલા શેરડી રસના ઘડાથી પ્રભુને પારણું કરાવ્યું.

જય જયકાર થયો,દેવોએ વસુંધરા વરસાવી,
અહો દાનં,અહો દાનંની ઘોષણા થયી,
દિવ્ય-પુષ્પ વૃષ્ટિ થયી,
આનંદ આનંદ છવાઈ ગયો,
હરખના હિંડોળા બંધાયા,
સ્ત્રીઓએ મંગલ ગીતો ગાયા,
અને
ઋષભ પ્રભુ ચારેકોર છવાયા.

અવસર્પિણીનો એ પ્રથમ પારણાનો અવસર હતો,
ભિક્ષા દાનનો એ પ્રથમ ભવ્ય પ્રસંગ હતો,
દાન ધર્મનો એ પ્રથમ ભવ્ય ઉત્સવ હતો,


------------------------------------------------------------------------------


ભાગ છટ્ઠો (ઋષભદેવ પ્રભુની સાધના,વિહાર)


અષ્ટમહા પ્રાતીહાર્ય સહ પ્રભુનો વિહાર


પારણા બાદ ઋષભદેવ પ્રભુ સાવ એકલા અટુલા નિર્જન વનમાં વિહરવા લાગ્યા,
પ્રભુના જ્યાં જ્યાં પગલા પડતા એ ધરા ધન્ય બની જતી,
પ્રભુના આગમનથી વૃક્ષો ડોલવા લગતા,
પંખીઓ બોલવા લગતા,
પ્રભુ વિચારતા તો પંખીઓને હરતો-ફરતો સુરજ લાગતો,
કારણ
પ્રભુના દેહનું તેજ દૈદીપ્યમાન હતું,
પ્રભુ ફૂલ છોડ પાસેથી પસાર થતા તો ફૂલોની સુગંધ બમણી થઇ જતી,
દિશા-દિશામાં ઘનઘોર નિશામાં વાલમજી ઋષભ વનમાળી બનીને
ખબર અંતર પૂછવા આવ્યા છે એવું પવન કહેતો ફરતો,


સાધનામાં ધ્યાન મગ્ન ઋષભ પ્રભુ


શિયાળાની કડકડતી ઠંડી હોય કે,
ઉનાળાની બળબળતી ગરમી હોય કે,
ચોમાસાનો ધોધમાર વરસાદ હોય તો પ્રભુ દિન બન્યા વિના
સાધનામાં લીન બની રહેતા,
તેઓને જાણે અંધાર કે ઉજાસની ખબર નથી,
દિવસ કે રાતની ખબર નથી,
સવાર કે સાંજની ખબર નથી,
ઠંડી કે ગરમીની ખબર નથી,
ભૂખ કે તરસની ખબર નથી,
સુખ કે દુ:ખની ખબર નથી,
રાગ કે દ્રેષની ખબર નથી,
દુર કે નજીકની ખબર નથી,

બસ માત્ર સાધના,સાધના અને સાધનામાં પ્રભુ તલ્લીન બન્યા,
ચાલો..ચાલો એ ઋષભની સાધના કાનથી નિહાળીએ

--------------------------------------------------------------------------------------



ભાગ સપ્તમો (ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિ)


પ્રભુની દેશના


નાનું બાળક જેમ એક-એક ડગલું ભરે એમ પ્રભુએ એક-એક ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યું,
પ્રભુ નિર્મોહી બન્યા,
નિર્મમ બન્યા,
દેહ પ્રત્યે પણ મમતા વિનાના થયા,
સમતાના સાગર બન્યા,

પ્રભુના શરીરમાં એક પણ રોગ નથી
કારણ
પ્રભુ રાગ વિનાના બન્યા છે,

પ્રભુના આત્મામાં એક પણ દોષ નથી
કારણ
પ્રભુ દ્રેષ વિનાના બન્યા છે,

પ્રભુના રોમ-રોમમાં સ્હેજ પણ ક્રોધ વગેરે નથી,
કારણ
પ્રભુ ક્ષય વિનાના બન્યા છે,

એક પછી એક શુક્લ ધ્યાનમાં પરમ વિભૂતિ લીન થતા ગયા,
કર્મોના આવરણને દુર કર્યા,અને ઉત્તમોત્તમ અનંત કાલ સુધી રહેનારું,
ભૂત-ભવિષ્ય અને વર્તમાનના વિષયો જાણે પ્રભુના હાથમાં જ હોય,
તેવું દેખાડનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.

એ દિવસે દેવાધિદેવ કેવલજ્ઞાન પામ્યા,
એ ફાગણ વદી અગિયારસ (૧૧)નો દિવસ પણ ધન્ય બન્યો,
પ્રભુને કેવળજ્ઞાન થયું એટલે દિશાઓ અતિ પ્રસન્ન થઇ,
વાયરો સુખે-સુખે વહેવા લાગ્યો,
તારકોને સુખ થયું,
તિર્યંચોનું દુ:ખ ગયું,
દેવો નાચ-ગાન કરવા લાગ્યા,
ઇન્દ્રોના સિંહાસન ડોલ્યા,
ફૂલો મહેંકી ઉઠ્યા,
ત્રણે ભુવનમાં જ્યોતિ થઇ,
સુરજ વધુ પ્રકાશવા લાગ્યો,
મિથ્યાત્વનું અંધારું દુર થયું,
મોહનું પુર ઓસરી ગયું,


દેવો દ્વારા કરાયેલ સમોવસરણની રચના


હવે પ્રભુ ત્રિભુવન રાજા બન્યા,
અઢાર કોડા-કોડી સાગરોપમ બાદ ધર્મની સ્થાપના કરી,
કેવળી બનીને દેશના આપવા લાગ્યા,
પ્રભુની વાણી શિયાળામાં હુંફ આપે છે,અને
ઉનાળામાં ઠંડક આપે છે,
આવો,આવો સમોવસરણમાં બેઠેલા નાથની વાણીનું ગાન સાંભળીયે....


-------------------------------------------------------------------------------------
 

ભાગ અષ્ટમો(અંતિમ) (ઋષભદેવ પ્રભુનું નિર્વાણ)

પ્રભુનું નિર્વાણ


હજારો વર્ષો સુધી અનેક જીવોને દેશનાથી પ્રતિબોધ કરતા કરતા,
કરુણા સાગર પરમાત્મા ઋષભદેવજીના ચોર્યાસી લાખ પૂર્વ વર્ષ વીતી ગયા,
મહા વદી-૧૩ના દિવસે શીવગતી પામ્યા,યોગ નિરોધ કર્યો,
પરમ જિનેશ્વરના મનુષ્યપણાંનું આયુષ્ય પૂરું થયું,

હવે પહેલા જેવું વાતાવરણ રહ્યું નથી,
રસ્તો એનો એ જ છે... બસ... પ્રભુના ચરણ નથી,
રાજીવલોચન પરમાત્મા ચાલ્યા ગયા,
સિદ્ધ થયા, દુર-સુદુર છેક ક્ષિતિજને પેલે પાર
દેહથી ત્યાં જઈ શકાતું નથી,એવી એ ભોમકા છે,

પ્રભુના મોટા દીકરા ભરતજીને ખુબ આઘાત લાગ્યો,
આઘાતમાં ને આઘાતમાં હેબતાઈ ગયા,
પિતા ઋષભજીના ચાલ્યા જવાથી ચક્કર-ચક્કર થઈને એ ઢળી પડ્યા,
એમની આંખમાંથઈ આંશુ નીકળતા નથી,
ત્યારે ઇન્દ્ર મહારાજાએ પોંક મૂકી..
એ વખતે સહુને ખ્યાલ આવ્યો કે આને રૂદન કહેવાય,
અને એ વખતે ભરત રાજા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા,
પ્રભુના પગલા પડી રહ્યા અને ચરણો વહી ગયા,
પ્રભુ ચાલ્યા ગયા અને સ્મરણો રહી ગયા..
સુરજ જેવા પ્રભુ અસ્ત થયા... અને કિરણો પણ વહી ગયા,


અષ્ટાપદ પર્વત (આદિનાથ પ્રભુની નિર્વાણ ભૂમિ)



પ્રભુની એક-એક વાત યાદ આવે છે,
પાણીમાં જોઈએતો પ્રભુનું પ્રતિબિંબ દેખાય,
રેતીમાં આંગળીઓ ફેરવીએતો પ્રભુનું ચિત્ર દોરાઈ જાય,
હર ચીજમાં પ્રભુ જ દેખાવા લાગ્યા,

દુનિયામાં એક વ્યક્તિના ચાલ્યા જવાથી કેટ-કેટલું બદલાઈ જતું હોય છે..
ભગવાનના ચાલ્યા જવાથી  દિવસ સુરજ વિનાનો બની ગયો,
રાત ચંદ્ર વિનાની બની ગયી,
સંધ્યાના રંગો વિખરાઈ ગયા,
પ્રભુ સિદ્ધ થયા,
બુદ્ધ થયા,
શિવગામી બન્યા,
મોક્ષગામી બન્યા,
પરમ પદ પામ્યા,
પંચમ પદ પામ્યા,
નિર્વાણ પામ્યા,

દૂધમાં સાકર ભળે એમ સિદ્ધમાં ભળી ગયા,
સાગરમાં નદીઓ સમાય એમ સિદ્ધ લોકમાં સમાઈ ગયા,
અંધારામાં મૂકીને અજવાળામાં ચાલ્યા ગયા,

આવજો એટલું કહેવા પણ ન રોકાયા,

પ્રથમ તીર્થેશ્વર,
પ્રથમ રાજેશ્વર,
પ્રથમ મુનીશ્વર,
જગદીશ્વર,
પરમેશ્વર,
સિદ્ધિના શિખરે જઈ ચડ્યા,
દુર-દુર.......... દુર-દુર............